એક શેર પર ₹350 કે તેથી વધુનો નફો… એક્સપર્ટે આપ્યું ‘ગ્રીન સિગ્નલ’, પોર્ટફોલિયોમાં આ સ્ટોક ઉમેરી દેજો

એશિયાઈ બજારોમાં તેજીની વચ્ચે ભારતીય શેરબજારમાં મંગળવારે (10 માર્ચ) મજબૂતી જોવા મળી હતી. બજારના આ મૂડ અને માહોલ વચ્ચે એક્સપર્ટે આ કંપની પર "Buy" રેટિંગ જાળવી રાખ્યું છે.

| Updated on: Mar 10, 2026 | 4:59 PM
1 / 7
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનમાં યુદ્ધ પૂર્ણ થવાના સંકેતો મળતા બજારને રાહત મળી છે. ત્યારબાદ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો, જેનાથી બજારને સપોર્ટ મળ્યો છે. જો કે, તાજેતરના ઘટાડા બાદ રોકાણકારો સાવચેત દેખાઈ રહ્યા છે. બજારના આ મૂડ અને માહોલ વચ્ચે બ્રોકરેજ હાઉસ સિમેન્ટ સેક્ટરની કંપની પર બુલિશ (તેજીની અપેક્ષા) જોવા મળી રહ્યા છે. બ્રોકરેજનું કહેવું છે કે, કંપની સતત ગ્રોથના પથ પર આગળ વધી રહી છે. કંપનીની ઉત્પાદન ક્ષમતા વધારવાની અને ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના સ્પષ્ટ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનમાં યુદ્ધ પૂર્ણ થવાના સંકેતો મળતા બજારને રાહત મળી છે. ત્યારબાદ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો, જેનાથી બજારને સપોર્ટ મળ્યો છે. જો કે, તાજેતરના ઘટાડા બાદ રોકાણકારો સાવચેત દેખાઈ રહ્યા છે. બજારના આ મૂડ અને માહોલ વચ્ચે બ્રોકરેજ હાઉસ સિમેન્ટ સેક્ટરની કંપની પર બુલિશ (તેજીની અપેક્ષા) જોવા મળી રહ્યા છે. બ્રોકરેજનું કહેવું છે કે, કંપની સતત ગ્રોથના પથ પર આગળ વધી રહી છે. કંપનીની ઉત્પાદન ક્ષમતા વધારવાની અને ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના સ્પષ્ટ છે.

2 / 7
મોતીલાલ ઓસવાલે આ કંપની પર પોતાનો ‘BUY’ (ખરીદવા)નો અભિપ્રાય યથાવત રાખ્યો છે. બ્રોકરેજે આ સ્ટોક માટે ₹500ની ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરેલ છે. એવામાં, આ શેર આગામી સમયમાં 33 ટકા સુધીનું વળતર (Upside Return) આપી શકે છે.

મોતીલાલ ઓસવાલે આ કંપની પર પોતાનો ‘BUY’ (ખરીદવા)નો અભિપ્રાય યથાવત રાખ્યો છે. બ્રોકરેજે આ સ્ટોક માટે ₹500ની ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરેલ છે. એવામાં, આ શેર આગામી સમયમાં 33 ટકા સુધીનું વળતર (Upside Return) આપી શકે છે.

3 / 7
નુવામાએ પણ આ સ્ટોક પર 'ખરીદી' (Buy) કરવાની સલાહ આપી છે. જો કે, બ્રોકરેજે આ સ્ટોક પરનો ટાર્ગેટ પ્રાઈસ ઘટાડીને ₹554 કર્યો છે, જે અગાઉ ₹709 હતો. આ મુજબ, આ શેર હજુ પણ 23 ટકા જેટલું વળતર આપી શકે તેમ છે.

નુવામાએ પણ આ સ્ટોક પર 'ખરીદી' (Buy) કરવાની સલાહ આપી છે. જો કે, બ્રોકરેજે આ સ્ટોક પરનો ટાર્ગેટ પ્રાઈસ ઘટાડીને ₹554 કર્યો છે, જે અગાઉ ₹709 હતો. આ મુજબ, આ શેર હજુ પણ 23 ટકા જેટલું વળતર આપી શકે તેમ છે.

4 / 7
બ્રોકરેજના જણાવ્યા અનુસાર, કંપની વેચાણના જથ્થા (Volume) કરતા કિંમત (Price) પર વધુ ધ્યાન આપવાની વ્યૂહરચના અપનાવી રહી છે. આ માટે કંપની બજારમાં વેચાણ વધારવા અને ઉચ્ચ ગુણવત્તાવાળા સિમેન્ટ પર વધુ ભાર મૂકી રહી છે. કંપની નવી ફેક્ટરીઓ સ્થાપવાને બદલે હાલની ઉત્પાદન ક્ષમતાનો વધુ સારો ઉપયોગ કરીને બજારમાં પોતાનો હિસ્સો વધારવા માંગે છે.

બ્રોકરેજના જણાવ્યા અનુસાર, કંપની વેચાણના જથ્થા (Volume) કરતા કિંમત (Price) પર વધુ ધ્યાન આપવાની વ્યૂહરચના અપનાવી રહી છે. આ માટે કંપની બજારમાં વેચાણ વધારવા અને ઉચ્ચ ગુણવત્તાવાળા સિમેન્ટ પર વધુ ભાર મૂકી રહી છે. કંપની નવી ફેક્ટરીઓ સ્થાપવાને બદલે હાલની ઉત્પાદન ક્ષમતાનો વધુ સારો ઉપયોગ કરીને બજારમાં પોતાનો હિસ્સો વધારવા માંગે છે.

5 / 7
સેન્ટ્રમ બ્રોકિંગે પણ આ સ્ટોક પર 'ખરીદી' (Buy) કરવાની સલાહ આપતા ₹653નો ટાર્ગેટ પ્રાઈસ સેટ કર્યો છે. આ મુજબ, આ શેર રોકાણકારોને 44 ટકા જેટલું શાનદાર વળતર (Upside Return) આપી શકે છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, ગુજરાતના કચ્છમાં સ્થિત સાંઘીપુરમ પ્લાન્ટમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝના સંપાદન (Acquisition) પછી તેની કામગીરીને સ્થિર કરવા અને ખર્ચ ઘટાડવાનું કામ સતત આગળ વધી રહ્યું છે.

સેન્ટ્રમ બ્રોકિંગે પણ આ સ્ટોક પર 'ખરીદી' (Buy) કરવાની સલાહ આપતા ₹653નો ટાર્ગેટ પ્રાઈસ સેટ કર્યો છે. આ મુજબ, આ શેર રોકાણકારોને 44 ટકા જેટલું શાનદાર વળતર (Upside Return) આપી શકે છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, ગુજરાતના કચ્છમાં સ્થિત સાંઘીપુરમ પ્લાન્ટમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝના સંપાદન (Acquisition) પછી તેની કામગીરીને સ્થિર કરવા અને ખર્ચ ઘટાડવાનું કામ સતત આગળ વધી રહ્યું છે.

6 / 7
લેટેસ્ટ ચાર્ટ ડેટા મુજબ, અંબુજા સિમેન્ટ્સના શેર માટે માર્કેટ એક્સપર્ટ્સ ખૂબ જ આશાવાદી જણાઈ રહ્યા છે. હાલમાં આ શેર ₹462.10 પર ટ્રેડ થઈ રહ્યો છે પરંતુ આગામી એક વર્ષ માટે 41 એનાલિસ્ટે સરેરાશ ₹608.35 નો પ્રાઈસ ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન કિંમતથી લગભગ 31.84% નો વધારો સૂચવે છે. ચાર્ટના વિશ્લેષણ મુજબ, આ શેરમાં મહત્તમ તેજી ₹832.00 (+80.30%) સુધી જઈ શકે છે, જ્યારે નીચેની તરફ તે ₹390.00 (-15.48%) સુધીના સ્તરને સ્પર્શી શકે છે.

લેટેસ્ટ ચાર્ટ ડેટા મુજબ, અંબુજા સિમેન્ટ્સના શેર માટે માર્કેટ એક્સપર્ટ્સ ખૂબ જ આશાવાદી જણાઈ રહ્યા છે. હાલમાં આ શેર ₹462.10 પર ટ્રેડ થઈ રહ્યો છે પરંતુ આગામી એક વર્ષ માટે 41 એનાલિસ્ટે સરેરાશ ₹608.35 નો પ્રાઈસ ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન કિંમતથી લગભગ 31.84% નો વધારો સૂચવે છે. ચાર્ટના વિશ્લેષણ મુજબ, આ શેરમાં મહત્તમ તેજી ₹832.00 (+80.30%) સુધી જઈ શકે છે, જ્યારે નીચેની તરફ તે ₹390.00 (-15.48%) સુધીના સ્તરને સ્પર્શી શકે છે.

7 / 7
છેલ્લા બે વર્ષનો ટ્રેન્ડ જોતા માર્ચ 2026 માં ઘટાડા બાદ હવે રિકવરીના સંકેતો સ્પષ્ટ દેખાય છે. મોટાભાગના એનાલિટિસ્ટો માને છે કે, જો કંપની તેની નવી વ્યૂહરચના મુજબ આગળ વધશે, તો રોકાણકારોને આગામી 12 મહિનામાં શાનદાર વળતર મળી શકે છે.

છેલ્લા બે વર્ષનો ટ્રેન્ડ જોતા માર્ચ 2026 માં ઘટાડા બાદ હવે રિકવરીના સંકેતો સ્પષ્ટ દેખાય છે. મોટાભાગના એનાલિટિસ્ટો માને છે કે, જો કંપની તેની નવી વ્યૂહરચના મુજબ આગળ વધશે, તો રોકાણકારોને આગામી 12 મહિનામાં શાનદાર વળતર મળી શકે છે.