
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનાર બાળકોને એક મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સાથે એક લાખ રુપિયાની પ્રાઈઝ મની પણ આપવામાં આવે છે.

આ સન્માનએ બાળકોને મળે છે. જેની ઉંમર ઓછામાં ઓછી 5 વર્ષ અને વધુમાં વધુ 18 વર્ષ હોય. ભારતના નાગરિકો હોવા જોઈએ. તેમજ દેશમાં રહેતા હોય. વર્ષ 2018માં એ બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમણે બહાદુરીના ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કર્યું.

આ સન્માન 7 કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં કલા-સંસ્કૃતિ, બહાદુરી, ઈનોવેશન, શૈક્ષણિક , સામાજિક સેવા અને રમત સામેલ હતુ. પરંતુ ત્યારબાદ સાયન્સ અને ટેકનોલોજીને પણ જોડવામાં આવ્યું હતુ.

પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સન્માનિતોને કહ્યું, "બધા બાળકોએ પોતાના પરિવાર, સમાજ અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ સન્માન મેળવનારા બાળકોના પરિવારોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. બાળકો માટે આ પુરસ્કાર સમારોહનું આયોજન કરવા બદલ હું મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી અને તેમની સમગ્ર ટીમની પણ પ્રશંસા કરું છું.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે સામાન્ય રીતે આવેદન દર વર્ષે એપ્રિલથી શરુ થઈ જાય છે અને જુલાઈ સુધી ચાલે છે. જેના માટે આવેદન માત્ર ઓનલાઈન પોર્ટલ https://awards.gov.inના માધ્યમથી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે કોઈ પણ નાગરિક, સ્કુલ, સંસ્થા કે સંગઠન પોતાના યોગ્ય ઉમેદવારનું નામાંકન કરી શકે છે. બાળકો પોતાને નોમિનેટ કરીને પણ અરજી કરી શકે છે.

અરજદારોએ તેમની વ્યક્તિગત વિગતો અને પુરસ્કારની કેટેગરી ભરવાની રહેશે. તેમણે તાજેતરનો ફોટો અને સહાયક દસ્તાવેજો પણ અપલોડ કરવાના રહેશે. તેમણે તેમની સિદ્ધિ અને તેના પ્રભાવ પરિણામનું 500-શબ્દનું વર્ણન પણ સબમિટ કરવાનું રહેશે.