Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનું લક્ષ્ય મેડલ પર, જુઓ ફોટો

|

Aug 22, 2024 | 2:35 PM

ભારતે પેરિસમાં રમાનાર પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ રમતમાં કુલ 84 ખેલાડીઓ ભાગ લેશે,

1 / 5
પેરિસ ઓલિમ્પિક 2024 પછી પેરાલિમ્પિક્સ શરૂ થવા જઈ રહી છે. પેરિસ પેરાલિમ્પિક્સ 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની છે. જેમાં વિશ્વભરના હજારો ખેલાડીઓ રમતા જોવા મળશે. આ વખતે ભારત પેરિસમાં 28 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા પેરાલિમ્પિક્સમાં 12 રમતોમાં ભાગ લેશે.

પેરિસ ઓલિમ્પિક 2024 પછી પેરાલિમ્પિક્સ શરૂ થવા જઈ રહી છે. પેરિસ પેરાલિમ્પિક્સ 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની છે. જેમાં વિશ્વભરના હજારો ખેલાડીઓ રમતા જોવા મળશે. આ વખતે ભારત પેરિસમાં 28 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા પેરાલિમ્પિક્સમાં 12 રમતોમાં ભાગ લેશે.

2 / 5
જેમાં પેરા સાઈકિલિંગ, પેરા બોટીંગ અને જુડો નવી રમત હશે. ભારતીય પેરાલિમ્પિક સમિતિના અધ્યક્ષ દેવેન્દ્ર ઝાઝડિયાએ જણાવ્યું કે, આ વખતે પેરિસમાં 84 ખેલાડીઓનું દળ મોકલી રહ્યું છે.

જેમાં પેરા સાઈકિલિંગ, પેરા બોટીંગ અને જુડો નવી રમત હશે. ભારતીય પેરાલિમ્પિક સમિતિના અધ્યક્ષ દેવેન્દ્ર ઝાઝડિયાએ જણાવ્યું કે, આ વખતે પેરિસમાં 84 ખેલાડીઓનું દળ મોકલી રહ્યું છે.

3 / 5
દેવેન્દ્રએ જણાવ્યું કે, આશા છે કે, ભારતીય ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિકના પ્રદર્શનથી પણ સારું પ્રદર્શન કરે. ટોક્યોમાં ભારતે 19 મેડલ જીત્યા હતા.જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતીય પેરાખેલાડીઓનો આ વખતે 25 મેડલનો ટાર્ગેટ છે.

દેવેન્દ્રએ જણાવ્યું કે, આશા છે કે, ભારતીય ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિકના પ્રદર્શનથી પણ સારું પ્રદર્શન કરે. ટોક્યોમાં ભારતે 19 મેડલ જીત્યા હતા.જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતીય પેરાખેલાડીઓનો આ વખતે 25 મેડલનો ટાર્ગેટ છે.

4 / 5
તમને જણાવી દઈએ પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતે 9 ગોલ્ડ, 12 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 31 મેડલ પોતાને નામ કર્યા છે. પેરાલિમ્પિકમાં ગુજરાતના 5 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતે 9 ગોલ્ડ, 12 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 31 મેડલ પોતાને નામ કર્યા છે. પેરાલિમ્પિકમાં ગુજરાતના 5 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

5 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ પેરાલિમ્પિક ખેલાડીઓને અભિનંદન આપ્યા અને કહ્યું કે 140 કરોડ દેશવાસીઓના આશીર્વાદ એથ્લેટ્સ સાથે છે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ પેરાલિમ્પિક ખેલાડીઓને અભિનંદન આપ્યા અને કહ્યું કે 140 કરોડ દેશવાસીઓના આશીર્વાદ એથ્લેટ્સ સાથે છે,

Published On - 12:47 pm, Tue, 20 August 24

Next Photo Gallery