લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરનાર દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન આશુતોષ શર્માએ ફરી એક વખત આઈપીએલમાં પોતાની તાકાત દેખાડી છે. આશુતોષે ગત્ત વર્ષે આવી જ ઈનિગ્સ રમી હતી. આશુતોષે 31 બોલમાં 5 ચોગ્ગા અને પાંચ સિક્સની મદદથી અણનમ 66 રનની ઈનિગ્સ રમી હતી.
15 સપ્ટેમ્બર 1998ના રોજ આશુતોષ શર્માનો જન્મ થયો હતો. બાળપણમાં આર્થિક તંગીના કારણે આશુતોષ પાસે કિટ ખરીદવાના પણ પૈસા ન હતા પરંતુ તેનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમે તેને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોશિએશન સુધી લઈ ગયો.
મહેનત, ત્યાગ અને લગનની સાથે વર્ષ 2018માં મધ્યપ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવામાં સફળ રહ્યો. થોડા વર્ષે મધ્યપ્રદેશ માટે રમ્યા બાદ તેમણે રેલવેની ટીમનો હાથ પકડ્યો અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી.
સ્થાનિક ક્રિકેટમાં રેલવે તરફથી રમતી વખતે, આશુતોષનું નામ સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે 2023 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી હતી, જેણે યુવરાજ સિંહનો 12 બોલનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
તેની ઇનિંગ્સે IPL સ્કાઉટ્સનું ધ્યાન ખેંચ્યું અને 2024ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે તેને 20 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો. ગુજરાત ટાઇટન્સ સામેની તેની ડેબ્યૂ મેચમાં 31 રનની વિસ્ફોટક ઇનિંગે સાબિત કર્યું કે આ ખેલાડી ખાસ છે.
આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન બાદ આશુતોષને 30 લાખની બેસ પ્રાઈઝ સાથે જ્યારે આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં આવ્યો તો, દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટકકર જોવા મળી હતી. અંતે દિલ્હી કેપિટલ્સે આશુતોષને 3.80 કરોડ રુપિયામાં ખીરદ્યો હતો. હવે આશુતોષ ક્રિકેટમાં એક મોટું નામ બની ગયું છે.
આશુતોષ આઈપીએલના તે ખાસ ખેલાડીઓમાંથી એક છે, જે કોઈપણ પરિસ્થિતિમાં પોતાની ટીમને જીત અપાવવાની ક્ષમતા ધરાવે છે. મોટા શોટ રમવાની ઈચ્છા વધારે રાખે છે.IPLમાં પોતાનું નામ બનાવનાર આશુતોષ શર્મા ભારતીય ટીમમાં સ્થાન બનાવવાનો પ્રયાસ કરશે,