
ત્વચા અને વાળ માટે : ડાયેટિશ્યનનું કહેવું છે કે શિંગોડાનું સેવન વાળની સમસ્યા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલું લૌરિક એસિડ વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય શિંગોડા ખાવાથી પણ ત્વચા સ્વસ્થ રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારો : જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોએ તેમના આહારમાં શિંગોડાનો સમાવેશ કરવો જોઈએ. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ મળી આવે છે, જે શરીરમાં ફ્રી રેડિકલને ઘટાડે છે. તેમાં એન્ટિવાયરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

શરીરને હાઇડ્રેટેડ રાખો : ખાસ કરીને શિયાળામાં કેટલાક લોકો પૂરતું પાણી પીતા નથી. જેના કારણે તેમના શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. બાફેલા શિંગોડા ખાવાથી શરીરમાં હાઇડ્રેશન જળવાઈ રહે છે. જો તમે ઓછી માત્રામાં પાણી પીતા હોવ તો ચોક્કસપણે શિંગોડા ખાઓ. આ ખાવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા નહીં થાય. નિષ્ણાતોએ શિંગોડાના તમામ ફાયદાઓ જણાવ્યા છે. શિયાળાની ઋતુમાં તમારે આ ફળને બાફીને ખાવું જોઈએ. આનાથી તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે.