
એવું કહેવાય છે કે, સોમવારના દિવસે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. ખાસ વાત તો એ કે, અપરિણીત છોકરીઓ આ દિવસે ઉપવાસ રાખે છે અને શિવલિંગ પર જળ ચઢાવે છે. જળ અર્પણ કરતી વખતે છોકરીઓ સારો જીવનસાથી મેળવવાની ઇચ્છા રાખે છે.

જો શ્રાવણ મહિનામાં સોમવારે વ્રત રાખતી અપરિણીત છોકરીઓ મનગમતો વર મેળવવા માંગે છે, તો તેઓએ પાણી ચઢાવતી વખતે આ 3 રંગોના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવને પાણી ચઢાવવા જતી વખતે કેટલાંક ખાસ રંગોના કપડાં ન પહેરવા જોઈએ. આવું કરવાથી પૂજાનો લાભ પ્રાપ્ત થતો નથી અને ઇચ્છિત વર મેળવવામાં અવરોધ આવે છે.

કાળો રંગ: વાસ્તુ અનુસાર, કાળો રંગ અશુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે, આ રંગ શનિ ગ્રહ સાથે સંકળાયેલો છે, જે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારે કાળા કપડાં પહેરીને પાણી ચઢાવવાથી ભગવાન શિવના આશીર્વાદ મળતા નથી.

ચમકદાર કે ભડકીલો રંગ: વાસ્તુમાં ચમકદાર અથવા ભડકીલા રંગને અશુભ માનવામાં આવે છે. લાલ, ઘાટો પીળો અથવા નારંગી રંગ આના મુખ્ય ઉદાહરણ છે. આવા રંગોથી ધ્યાન અને તપસ્યાની ઉર્જા ભંગ થાય છે. ભગવાન શિવ સાદગી અને શાંતિના દેવતા છે, આવી સ્થિતિમાં ભડકાઉ રંગ પહેરીને પૂજા કરવાથી મનની એકાગ્રતામાં ખલેલ પહોંચે છે અને માંગેલી મનોકામનામાં અડચણો ઊભી થાય છે.

ઘાટો વાદળી રંગ: વાદળી રંગ શનિ અને રાહુની ઉર્જાને પ્રોત્સાહન આપે છે. અપરિણીત છોકરીઓએ સોમવારે આ રંગના કપડાં ન પહેરવા જોઈએ. આ રંગ લગ્ન જીવનમાં વિલંબ અથવા અવરોધનું પ્રતીક બની શકે છે.