આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, ત્યારે મહાશિવરાત્રિ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
ભગવાન શિવના અંશ અવતાર હનુમાનજી મહારાજને વિશેષ વાઘા ધરાવી અને સિંહાસને શણગાર કરવામાં આવ્યો છે.
કષ્ટભંજનદેવ દાદાને ડમરુ સાથેનો દિવ્ય શૃંગાર કરી સવારે શણગાર આરતી પણ કરવામાં આવી હતી.
મહાશિવરાત્રી નિમિત્તે નિલકંઠ મહાદેવ મંદિર અને કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આજે મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. આજે મહાશિવરાત્રી નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ, જેનો હજારો ભક્તોએ લ્હાવો લીધો હતો.