
સમરજીતસિંહે દેહરાદૂનની દૂન સ્કૂલમાંથી શિક્ષણ લીધું અને પછી ઘણા વર્ષો સુધી બરોડાની રણજી ટીમ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો. તેમણે કુલ છ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. બાદમાં તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ રહ્યા. વર્ષ 2012માં તેઓ બરોડાના રાજગાદ પર બેસ્યા અને ત્યારથી રાજવી પરિવારના દૈનિક વ્યવસાય સંભાળી રહ્યા છે.

વર્ષ 2014માં સમરજીતસિંહ ભાજપમાં જોડાયા, જોકે રાજકારણમાં તેમનો પ્રવેશ વધુ સમય ચાલી શક્યો નહીં. 2017 પછી તેઓ રાજકીય રીતે સક્રિય નથી રહ્યા. હાલ તેઓ પરિવારના ટ્રસ્ટ અને શૈક્ષણિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓના સંચાલનમાં વ્યસ્ત છે. તેમનો ટ્રસ્ટ ગુજરાત અને વારાણસીમાં 17થી વધુ મંદિરો સંભાળે છે.

મહારાજ સમરજીતસિંહની પત્ની રાધિકારાજે પણ રાજવી કુળમાંથી છે. વાંકાનેરના રાજવી પરિવારમાં જન્મેલી રાધિકારાજેના પિતા ડૉ. રણજીતસિંહ ઝાલા 'ભારતના ચિત્તા મેન' તરીકે ઓળખાતા પર્યાવરણવિદ અને IAS અધિકારી રહ્યા છે. રાધિકારાજે દિલ્લી યુનિવર્સિટીની વિદ્યાર્થી રહી અને ત્રણ વર્ષ સુધી પત્રકાર તરીકે પણ કામ કર્યું. તેઓ આજે પણ વિવિધ સામાજિક અને પર્યાવરણ સંકળાયેલા કામમાં વ્યસ્ત રહે છે.

સમરજીતસિંહના પરિવારમાં રવિ વર્માના અમૂલ્ય ચિત્રો, સોનાં-ચાંદીના દાગીના અને અન્ય શાહી વારસા સામેલ છે. આ બધું તેમને તેમની અદ્વિતીય ભવ્યતા અને સમૃદ્ધિનું દ્રષ્ટાંત બનાવે છે.
Published On - 6:31 pm, Thu, 31 July 25