₹45,000 કરોડના સરકારી પ્લાનથી રેલવે શેરોમાં Bull Run…! RVNL, IRCON સહિત આ 5 સ્ટોક્સમાં 5% સુધીનો ઉછાળો

સરહદી વિસ્તારોમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન માટે આગામી 18 થી 24 મહિનામાં ₹45,000 કરોડના રોકાણની યોજનાના અહેવાલો બાદ ટીટાગઢ, IRCON, RVNL જેવા રેલવે શેરોમાં મજબૂત તેજી જોવા મળી છે.

| Updated on: Aug 03, 2026 | 6:14 PM
1 / 7
આજે રેલવે સેક્ટરની કંપનીઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ટીટાગઢ રેલ સિસ્ટમ્સ, IRCON, રાઈટ્સ, જ્યુપિટર વેગન્સ અને RVNL જેવા રેલવે શેરોમાં 5 ટકાથી વધુની તેજી નોંધાઈ હતી. રેલવે કંપનીઓના શેરોમાં આ તેજી એ સમાચાર બાદ આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર આગામી 18 થી 24 મહિનામાં સરહદી વિસ્તારોમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે 45,000 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવાની યોજના બનાવી રહી છે.

આજે રેલવે સેક્ટરની કંપનીઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ટીટાગઢ રેલ સિસ્ટમ્સ, IRCON, રાઈટ્સ, જ્યુપિટર વેગન્સ અને RVNL જેવા રેલવે શેરોમાં 5 ટકાથી વધુની તેજી નોંધાઈ હતી. રેલવે કંપનીઓના શેરોમાં આ તેજી એ સમાચાર બાદ આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર આગામી 18 થી 24 મહિનામાં સરહદી વિસ્તારોમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે 45,000 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવાની યોજના બનાવી રહી છે.

2 / 7
ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. આરવીએનએલ (RVNL) અને જ્યુપિટર વેગન્સના શેરમાં 4 ટકાની તેજી, ઈરકોન ઈન્ટરનેશનલ (IRCON) માં 5 ટકાનો વધારો અને રાઈટ્સ (RITES) માં 3 ટકાથી વધુની રેલી જોવા મળી હતી.

ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. આરવીએનએલ (RVNL) અને જ્યુપિટર વેગન્સના શેરમાં 4 ટકાની તેજી, ઈરકોન ઈન્ટરનેશનલ (IRCON) માં 5 ટકાનો વધારો અને રાઈટ્સ (RITES) માં 3 ટકાથી વધુની રેલી જોવા મળી હતી.

3 / 7
₹45,000 કરોડનું રોકાણ કરશે સરકાર: સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, પંજાબ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, અસમ અને અનેક પૂર્વોત્તર રાજ્યોમાં નવા રેલવે ટ્રેક, પ્લેટફોર્મ બનાવવા અને રેલવે નેટવર્કને મજબૂત કરવા માટે આગામી 18 થી 24 મહિનામાં 45,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવાયું છે કે સરહદ નજીક હાથ ધરવામાં આવનાર આ રેલવે પ્રોગ્રામ આગામી બે વર્ષમાં આયોજિત કુલ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચના લગભગ 22% હિસ્સો ધરાવશે.

₹45,000 કરોડનું રોકાણ કરશે સરકાર: સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, પંજાબ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, અસમ અને અનેક પૂર્વોત્તર રાજ્યોમાં નવા રેલવે ટ્રેક, પ્લેટફોર્મ બનાવવા અને રેલવે નેટવર્કને મજબૂત કરવા માટે આગામી 18 થી 24 મહિનામાં 45,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવાયું છે કે સરહદ નજીક હાથ ધરવામાં આવનાર આ રેલવે પ્રોગ્રામ આગામી બે વર્ષમાં આયોજિત કુલ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચના લગભગ 22% હિસ્સો ધરાવશે.

4 / 7
રિપોર્ટ અનુસાર, સરકારની આ નવી સીમાવર્તી રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના અગાઉ બ્લૂમબર્ગ ન્યૂઝ દ્વારા રિપોર્ટ કરાયેલા 3.4 અબજ ડોલરના રોકાણ કરતાં પણ ઘણી મોટી છે. અગાઉની યોજના પૂર્વોત્તર ભારતમાં પુલો અને સુરંગો સહિત રેલવે લાઈનોના નિર્માણ પર કેન્દ્રિત હતી, જ્યારે તાજેતરની આ યોજના સરહદ નજીકના તમામ વિસ્તારોને આવરી લેતો એક વ્યાપક રેલવે અપગ્રેડેશન પ્રોગ્રામ છે.

રિપોર્ટ અનુસાર, સરકારની આ નવી સીમાવર્તી રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના અગાઉ બ્લૂમબર્ગ ન્યૂઝ દ્વારા રિપોર્ટ કરાયેલા 3.4 અબજ ડોલરના રોકાણ કરતાં પણ ઘણી મોટી છે. અગાઉની યોજના પૂર્વોત્તર ભારતમાં પુલો અને સુરંગો સહિત રેલવે લાઈનોના નિર્માણ પર કેન્દ્રિત હતી, જ્યારે તાજેતરની આ યોજના સરહદ નજીકના તમામ વિસ્તારોને આવરી લેતો એક વ્યાપક રેલવે અપગ્રેડેશન પ્રોગ્રામ છે.

5 / 7
તણાવ બાદ સરકાર કરી રહી છે ફોકસ: કેટલાક પડોશી દેશો સાથેની સ્થિતિમાં ફેરફારને કારણે સરકાર સરહદી વિસ્તારોમાં રેલ કનેક્ટિવિટીને વધુ મહત્વ આપી રહી છે. છ વર્ષ પહેલાં થયેલા ઘાતક સીમા સંઘર્ષ પછી ચીન સાથે ભારતના સંબંધો વધુ સ્થિર થયા છે. ગયા વર્ષે પાકિસ્તાન સાથે પણ ભારતનો ટૂંકો સંઘર્ષ થયો હતો, અને 2024 માં બાંગ્લાદેશમાં થયેલા રાજકીય ફેરફારોએ ભારત સાથેના તેના સંબંધોને અગાઉ કરતાં વધુ પડકારજનક બનાવી દીધા છે.

તણાવ બાદ સરકાર કરી રહી છે ફોકસ: કેટલાક પડોશી દેશો સાથેની સ્થિતિમાં ફેરફારને કારણે સરકાર સરહદી વિસ્તારોમાં રેલ કનેક્ટિવિટીને વધુ મહત્વ આપી રહી છે. છ વર્ષ પહેલાં થયેલા ઘાતક સીમા સંઘર્ષ પછી ચીન સાથે ભારતના સંબંધો વધુ સ્થિર થયા છે. ગયા વર્ષે પાકિસ્તાન સાથે પણ ભારતનો ટૂંકો સંઘર્ષ થયો હતો, અને 2024 માં બાંગ્લાદેશમાં થયેલા રાજકીય ફેરફારોએ ભારત સાથેના તેના સંબંધોને અગાઉ કરતાં વધુ પડકારજનક બનાવી દીધા છે.

6 / 7
સરકારની શું છે યોજના? સરકાર દ્વિ-ઉપયોગી (ડ્યુઅલ-યૂઝ) રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજના બનાવી રહી છે, જેનો અર્થ એ છે કે આ રેલવે નેટવર્કનો ઉપયોગ નાગરિક મુસાફરી અને સૈન્ય જરૂરિયાતો બંને માટે કરવામાં આવશે. જરૂરિયાતના સમયે આ રેલવે લાઈનો સશસ્ત્ર દળોને સૈનિકો અને સરંજામ ઝડપથી ટ્રાન્સફર કરવામાં મદદ કરશે, સાથે જ વર્ષોથી અવિકસિત રહેલા સરહદી વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશન અને સંપર્કમાં સુધારો કરશે.

સરકારની શું છે યોજના? સરકાર દ્વિ-ઉપયોગી (ડ્યુઅલ-યૂઝ) રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજના બનાવી રહી છે, જેનો અર્થ એ છે કે આ રેલવે નેટવર્કનો ઉપયોગ નાગરિક મુસાફરી અને સૈન્ય જરૂરિયાતો બંને માટે કરવામાં આવશે. જરૂરિયાતના સમયે આ રેલવે લાઈનો સશસ્ત્ર દળોને સૈનિકો અને સરંજામ ઝડપથી ટ્રાન્સફર કરવામાં મદદ કરશે, સાથે જ વર્ષોથી અવિકસિત રહેલા સરહદી વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશન અને સંપર્કમાં સુધારો કરશે.

7 / 7
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

Follow Us
Loading...
Unable to load recommendations.