
અગાઉ પણ આ બંને યુવાનને એક વિચાર આવ્યો કે બધા જ ગાડી બસ કે ટ્રેનમાં પ્રવાસ માટે જાય છે, તો એમણે સાયકલ પ્રવાસ કરવાનું નક્કી કર્યું 4.1.24 ના રોજ સુરત થી દ્વારકા સાયકલ પર પ્રવાસ કર્યો હતો.14 દિવસમાં જ તેઓ સુરત પરત આવ્યા હતા. એના પરથી એમની હિંમત વધતા આ ચારધામની યાત્રા 2500 કિલોમીટરની 36 દિવસમાં પૂરી કરીને સુરત પરત કર્યા.

રોહિત ભરતભાઈ વરિયા 12 કોમર્સની પરીક્ષા આપી અને સાહીલ દેવરાજભાઇ ઉનાગર 10માં ધોરણની પછી સાયકલ યાત્રા પર ગયા હતા.

આ બંને યુવાનોના સાહસ જોઈને પ્રજાપતિ વાટલીયા સમાજ દ્વારા સમાજના બંને યુવાનોને કતારગામ કાન્તારેશ્વર મંદિર ખાતે ધામધૂમથી સ્વાગત કરી બંનેને ઘોડા પર બેસાડીને સન્માન આપવામાં આવ્યું સોસાયટી તેમજ પરિવારના સભ્યો ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે.