
પર્વતાસન: પર્વતાસનને પર્વત પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન તણાવ ઘટાડવા અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ થઈ શકે છે. પર્વતાસન કરવા માટે યોગ મેટ પર ફોટોમાં આપ્યા મુજબ પોજ બનાવવાનો રહે છે. આ દરમિયાન તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.

અર્ધ ઉત્તાસન: અર્ધ ઉત્તાસન સ્નાયુઓને મજબૂત બનાવવામાં શરીરને ફ્લેક્સિબલ બનાવવામાં મદદ કરે છે. તેમજ તે વાળ માટે પણ ફાયદાકારક છે. આ આસન કરવા માટે તાડાસનની સ્થિતિમાં આવો. તમારી પીઠ સીધી રાખો અને બંને પગને એકસાથે રાખો. હવે બંને હાથ ઉપર કરો. ધીમે ધીમે આગળ ઝૂકો અને તમારા હાથથી જમીનને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. તમારી છાતી આગળ ખુલ્લી, ગરદન સીધી અને આંખો આગળ હોવી જોઈએ. આ મુદ્રામાં 5 થી 10 સેકન્ડ સુધી શ્વાસ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસ બહાર કાઢો અને ફરીથી સંપૂર્ણપણે વાળો અને પછી ધીમે ધીમે ઉભા થાઓ અને તાડાસનની સ્થિતિમાં આવો.

નિષ્ણાતો કહે છે કે યોગની સાથે સ્વસ્થ લાઈફસ્ટાઈલ જાળવવી અને સ્વસ્થ આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ઓમેગા-ફેટી એસિડ, પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઇ, બાયોટિન, ઝિંક અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર આહાર લો. દરરોજ 7 થી 8 કલાક સૂઈ જાઓ, તણાવનું સંચાલન કરો અને શરીરને હાઇડ્રેટ રાખવા માટે યોગ્ય માત્રામાં પાણી પીવો. આ સાથે જો કમર, ખભા, ઘૂંટણ અથવા શરીરના કોઈપણ ભાગમાં કોઈપણ પ્રકારની તબીબી સ્થિતિ અથવા દુખાવો હોય તો કોઈપણ યોગાસન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)