
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી એક શાળામાંથી પણ બાળકો દ્વારા રથયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં બાળકો,શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ભગવાન જગન્નાથજીને નગરયાત્રા કરાવી હતી.

ભાવનગરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું થયું પ્રસ્થાન.જગન્નાથજીની રથયાત્રા પૂર્વે દર્શન કરવા માટે સંતો મહંતો અને ભક્તજનોનું ઘોડાપૂર ઉમટી પડ્યું.39 મી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું.સુભાષ નગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.

રાજકોટમાં અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.રથયાત્રામાં વૃંદાવનની રાસલીલા સૌ કોઇના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.રથયાત્રામાં ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી પ્રસ્થાન થઇ આખા શહેરમાં નીકળી રથયાત્રા.આ યાત્રામાં વિવિધ પ્રકારના કલાકાર, વૃંદાવન, સાધુસંત અને રાજકીય લોકો જોડ્યા હતા.
Published On - 2:44 pm, Sun, 7 July 24