તીતલી આસન : તીતલી આસનને બદ્ધ કોણાસન અથવા બટરફ્લાય મુદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસન ન માત્ર પીઠનો તણાવ ઓછો કરે છે પરંતુ શરીર અને મનને આરામ પણ આપે છે.બટરફ્લાય આસન કરવાથી તમારા પેલ્વિસ એરિયામાં સ્ટ્રેચ આવે છે, જે મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત, તે હિપ્સ, જાંઘ, પીઠ અને પગના સ્નાયુઓને ખેંચીને તણાવ દૂર કરવાનું પણ કામ કરે છે. એટલું જ નહીં, તે પાચન અને પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.