
વર્ષનો સૌથી ગરમ સમય એટલે કે 'નવતપા' ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન સૂર્યદેવ ધરતી પર અગનગોળા વરસાવશે. નવતપામાં ભયંકર ગરમી પડે છે. એવું કહેવાય છે કે, નવતપા દરમિયાન સૂર્યદેવનો તાપ તેની ચરમસીમાએ હોય છે. તમને જણાવી દઈએ કે, જ્યારે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે પૃથ્વીનું તાપમાન ખૂબ જ ઝડપથી વધે છે. નવતપા પૂરા 9 દિવસ સુધી ચાલે છે. આ વર્ષે 25 મેથી નવતપા શરૂ થશે, જે 2 જૂન 2026 સુધી ચાલશે. ધાર્મિક દ્રષ્ટિએ નવતપામાં આ 5 કાર્યો કરવાથી શુભ અને પુણ્યશાળી ફળ પ્રાપ્ત થાય છે.

નવતપા દરમિયાન ભીષણ ગરમી હોય છે, તેથી આ સમયે જળનું દાન ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. તરસ્યાને પાણી પીવડાવવું એ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે. આ દરમિયાન તાંબાના અથવા માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે. જો શક્ય હોય તો, વટેમાર્ગુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા (પરબ) પણ કરી શકો છો. આ સાથે ગરીબો અને જરૂરિયાતમંદોને કેરી, તડબૂચ, ટેટી જેવા ઠંડા અને વધુ પાણી ધરાવતા ફળોનું દાન કરો.

નવતપામાં સૂર્યદેવની પૂજા અત્યંત ફળદાયી માનવામાં આવે છે. દરરોજ સવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળ, લાલ ચંદન અને ફૂલ ઉમેરીને સૂર્યદેવને અર્પણ કરો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. નવતપાના કોઈપણ એક દિવસે તાંબાની થાળીમાં ગોળ-ચણા રાખીને સૂર્યદેવને ચઢાવો. આનાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થશે.

નવતપા દરમિયાન પ્રચંડ ગરમી પડે છે, તેથી પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ ભોજન તેમજ પાણીની વ્યવસ્થા કરો. ઘરની છત, બાલ્કની કે આંગણામાં માટીના વાસણો (કુંડા) માં સાફ પાણી ભરીને રાખો. ગાય અને બીજા પ્રાણીઓ માટે પણ ઘરની બહાર પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરો. આમ કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે.

નવતપામાં છોડને પાણી આપવું પણ પુણ્યકારી માનવામાં આવ્યું છે. આવામાં નવતપા દરમિયાન તુલસી, પીપળો અને વડ જેવા પવિત્ર વૃક્ષ-છોડમાં જળ જરૂર અર્પણ કરો. પ્રચંડ તડકાને કારણે વૃક્ષ-છોડ પણ સૂકાવા લાગે છે. પ્રકૃતિને લીલીછમ રાખવી એ પણ આ સમયે એક મોટું પુણ્યનું કામ છે. જો શક્ય હોય તો, આ દરમિયાન છાયા આપતા અથવા ફળ આપતા છોડ વાવો.

નવતપામાં પોતાના પિતૃઓનું પૂજન કરો અને પિતૃઓની આત્માની શાંતિ માટે ગરીબોને ભોજન કરાવો. સાથે જ દાન-પુણ્ય પણ કરો. આમ કરવાથી તમારા પર પિતૃઓના આશીર્વાદ હંમેશા બનેલા રહેશે.