નર્મદામાં શિવલિંગનો કુદરતી જન્મ, જાણો પવિત્ર પથ્થરો પાછળની કથા

નર્મદા નદીના પથ્થરોને શિવલિંગ (બાણલિંગ) તરીકે માન્યતા આપવામાં આવે છે, અને તેનાં પાછળ ધાર્મિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક બધા જ કારણો છે. આવો સમજીએ કે શા માટે નર્મદા નદીના પથ્થરોને શિવલિંગ રૂપે પૂજવામાં આવે છે.

| Updated on: Jul 14, 2025 | 6:45 AM
4 / 6
બાણલિંગ એટલે નર્મદા નદીમાં મળતા કુદરતી શિવલિંગ જેવો આકાર ધરાવતાં ગોળ પથ્થરો. "સ્કંદ પુરાણ" અને "શિવપુરાણ" જેવા ગ્રંથોમાં ઉલ્લેખ છે કે નર્મદા નદીમાંથી મળેલ પથ્થર ભગવાન શિવના સ્વરૂપ તરીકે પુજનીય છે.બાણલિંગ શિવજીના સ્વયંભૂ સ્વરૂપ તરીકે માનવામાં આવે છે.  ( Credits: Getty Images )

બાણલિંગ એટલે નર્મદા નદીમાં મળતા કુદરતી શિવલિંગ જેવો આકાર ધરાવતાં ગોળ પથ્થરો. "સ્કંદ પુરાણ" અને "શિવપુરાણ" જેવા ગ્રંથોમાં ઉલ્લેખ છે કે નર્મદા નદીમાંથી મળેલ પથ્થર ભગવાન શિવના સ્વરૂપ તરીકે પુજનીય છે.બાણલિંગ શિવજીના સ્વયંભૂ સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. ( Credits: Getty Images )

5 / 6
નર્મદા નદીના પથ્થરોમાં ખૂબ જ ખાસ પ્રકારની ગોળાઈ અને ઘસાયેલા સપાટી જોવા મળે છે, જે સરળતાથી બીજે ક્યાંય જોવા મળતી નથી. આ પથ્થરો બેસાલ્ટ પથ્થર પ્રકારના હોય છે, અને અહીંના પાણીના પ્રવાહ અને ગતિને કારણે એ પથ્થરો કુદરતી રીતે શિવલિંગના આકારમાં ઘસાઈ જાય છે. (Credits: - Canva)

નર્મદા નદીના પથ્થરોમાં ખૂબ જ ખાસ પ્રકારની ગોળાઈ અને ઘસાયેલા સપાટી જોવા મળે છે, જે સરળતાથી બીજે ક્યાંય જોવા મળતી નથી. આ પથ્થરો બેસાલ્ટ પથ્થર પ્રકારના હોય છે, અને અહીંના પાણીના પ્રવાહ અને ગતિને કારણે એ પથ્થરો કુદરતી રીતે શિવલિંગના આકારમાં ઘસાઈ જાય છે. (Credits: - Canva)

6 / 6
આવા બાણલિંગને ઘરમાં સ્થાપિત કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે, અને શાંતિ, સમૃદ્ધિ અને નકારાત્મકતા દૂર થવા લાગે છે. મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને નર્મદા નદીના પથ્થરોથી પૂજન થતું હોય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )

આવા બાણલિંગને ઘરમાં સ્થાપિત કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે, અને શાંતિ, સમૃદ્ધિ અને નકારાત્મકતા દૂર થવા લાગે છે. મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને નર્મદા નદીના પથ્થરોથી પૂજન થતું હોય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )