
રાજકોટની ઘટનાએ સુરત તક્ષશિલા આગ ઘટનાની યાદ અપાવી છે, સુરતના સરથાણા વિસ્તારમાં 24 મે, 2019ના રોજ તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી. કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા એ સમયે આગ લાગતાં આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના જીવ હોમાયા હતા.

વર્ષ 2109માં કાંકરીયા બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઈડ્સ તુટી પડતા બે વ્યક્તિના મોત થયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતા.
Published On - 8:25 pm, Sat, 25 May 24