
શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણમાં ભગવાન શિવના પરિવારની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.

સામાન્ય રીતે લોકો જાણે છે કે ભોલેનાથના પરિવારમાં બે પુત્રો છે, કાર્તિકેય અને ગણેશ. બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવને 2 નહીં પણ 6 બાળકો છે. જેમાં ત્રણ પુત્રો અને 3 પુત્રીઓનો સમાવેશ થાય છે.

શિવની પુત્રીઓ વિશે ઘણા લોકો જાણતા નથી, પરંતુ પુરાણોમાં ઘણી જગ્યાએ તેમનો ઉલ્લેખ છે. શિવના બાળકોનું વર્ણન શિવ પુરાણમાં જોવા મળે છે. આજે અમે તમને ભગવાન શંકરના પરિવાર વિશે વાત કરીશું.

શિવના બે પુત્રો કાર્તિકેય વિશે બધા જાણે છે, પરંતુ આ બે સિવાય, ભગવાન શંકરનો એક બીજો પુત્ર પણ છે. ભગવાન શિવના ત્રીજા પુત્રનું નામ ભગવાન અયપ્પા છે અને દક્ષિણ ભારતમાં તેમની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે છે.

ભગવાન શિવને દેવોના દેવ, મહાદેવ કહેવામાં આવે છે.ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ,

ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.

શિવને સર્જન, અસ્તિત્વ અને વિનાશના દેવ તરીકે પૂજવામાં આવે છે અને તેને બ્રહ્માંડની મૂળભૂત શક્તિ તરીકે ગણવામાં આવે છે.

શિવપુરાણમાં ભગવાન શિવને શાશ્વત અને સ્વ-અસ્તિત્વ માનવામાં આવે છે. આ પુરાણ જણાવે છે કે ભગવાન શિવનો કોઈ જન્મ નથી અને તે સૃષ્ટિની શરૂઆત અને અંતની બહાર છે.

પ્બલિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.
Published On - 9:19 am, Fri, 8 August 25