
અમાસના દિવસે એક છોગાની 9 કલરથી તૈયાર કરેલી પાઘ ભગવાન ધારણ કરશે. આ પાઘ પહેરીને ભગવાન ભક્તોને દર્શન આપશે.

ત્યારબાદ એકમના દિવસે રાણી કલરના સિલ્કના સ્ટોન વર્કના વાઘા પહેરીને દર્શન આપશે. એકમના દિવસે રજવાડી પાઘ બનારસી થીમ પર સ્ટોન વર્કથી તૈયાર કરવામા આવી છે.

બીજના દિવસે પીળા પીતાંબર ગોટા પત્તીથી તૈયાર કરવામાં આવેલા વાઘા ધારણ કરી ભગવાન નગરયાત્રાએ નીકળશે. પાઘ ગોટા પત્તા વાળી એક છોગા વાળી મોરપીંછ વાળી પાઘ પહેરી નગરયાત્રાએ નીકળશે.

મંગળા આરતી સમયે બનારસી લાલ રંગના મોરની ડિઝાઇન વાળા કસબ વર્ગના હેવી વાઘા ધારણ કરશે. મંગળા આરતી સમયે બે છોગા વાળી સ્ટોન વર્ક અને મિરર ઈમેજ ધરાવતી લાલ અને પીળા રંગની પાઘ ધારણ કરાવશે.

નગરયાત્રા કર્યા બાદ ત્રીજના દિવસે ભગવાન જાંબલી રંગના સિલ્કના વાઘા રેશમ અને કસબ વર્ક થી તૈયાર કરાયેલ ઓછા વજનવાળા વાઘા પહેરાવશે. ત્રીજના દિવસે એક છોગાની પાઘ જાંબલી રંગના સિલ્કના વાઘા રેશમ અને કસબ વર્ક થી તૈયાર કરવામાં આવી છે.