
શંકરના બીજા પુત્ર ગણેજીને દેવતાઓમાં પ્રથમ પૂજવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યમાં તેની પુજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને ભાઈ કાર્તિકેય છે.ભગવાન શિવના ત્રીજા પુત્રનું નામ ભગવાન અયપ્પા છે અને દક્ષિણ ભારતમાં તેમની પૂજા કરવામાં આવે છે.

શિવની ત્રણ પુત્રીઓ છે, અશોક સુંદરી, જ્યોતિ અને દેવી વાસુકી અથવા મનસા. જોકે ત્રણેય બહેનો તેમના ભાઈઓની જેમ બહુ લોકપ્રિય નથી, પરંતુ તેમની પૂજા કરવામાં આવે છે.

ગણેશને બે પત્નીઓ છે રિદ્ધિ અને સિદ્ધિ. ભગવાન ગણેશને રિદ્ધિથી શુભ અને સિદ્ધિથી લાભ નામના બે પુત્રો છે. ગણેશજીની પુત્રીનું નામ સંતોષી છે. અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
Published On - 10:35 am, Mon, 26 August 24