
રોહન ગુપ્તાને બાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.તેઓ અનેક ટીવી ચેનલના ડિબેટ કાર્યક્રમોમાં કોંગ્રેસ તરફથી પક્ષ મુકી ચુક્યા છે.

તેઓ અગાઉ કોંગ્રેસમાં રહેવા છતા પક્ષના અંદરો અંદરના જ વિવાદમાં રહી ચુક્યા છે,ભાજપ સાથે સાંઠગાંઠ અંગેનો પણ વિવાદ થયો હતો. જો કે તેમાં કોઇ તથ્ય સામે આવ્યુ ન હતુ. તે કોંગ્રેસનો વગદાર ચહેરો રહ્યા છે. કોંગ્રેસે આ વખતે લોકસભા માટે પસંદગીનો કળશ તેમના ઉપર ઢોળ્યો છે.

મહત્વનું છે કે વર્ષ 2019માં અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે ગીતા પટેલને ટિકિટ આપી હતી. તે વખતે કોંગ્રેસના ગીતા પટેલને માત્ર 3,15,504 મત મળ્યા હતા.ગત ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલને 7,49,834 વોટ મળ્યા હતા. આ વખતે પણ ભાજપે ઉમેદવાર તરીકે આ બેઠક પર હસમુખ પટેલને જ રિપીટ કર્યા છે. જો કે કોંગ્રેસે આ વખતે અમદાવાદ પૂર્વની બેઠક પર ગીતા પટેલનું પત્તુ કાપીને રોહન ગુપ્તાને તક આપી છે.
Published On - 11:22 am, Fri, 15 March 24