
જો ચામડીમાંથી માંસ નીકળી ગયું હોય તો 0.2 સેમીના ઘા માટે ₹20,000: જો કૂતરાના બટકા ભરવાને લીધે ચામડીમાંથી માંસ નીકળી ગયું હોય તો દરેક 0.2 સેમીના ઘા માટે ₹20,000નું વળતર આપવામાં આવશે. રાજ્ય સરકારની જવાબદારી: વળતરની ચુકવણી રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી રહેશે. જે પછીથી તેને સંબંધિત એજન્સીઓ અથવા વ્યક્તિઓ પાસેથી વસૂલ કરી શકે છે.

વળતર નક્કી કરવા માટે સમિતિઓની રચના: દરેક જિલ્લામાં ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિઓની રચના કરવામાં આવશે, જે ચાર મહિનામાં વળતર નક્કી કરશે. પોલીસને DDR નોંધવા સૂચનાઓ: કૂતરા કરડવાની કોઈપણ ઘટનાની માહિતી મળતાં, સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે કોઈપણ વિલંબ વિના DDR નોંધવું પડશે.

જાણો કાયદો શું કહે છે?: માલિક IPC ની કલમ 289 હેઠળ પાળતુ પ્રાણીના કૃત્યો માટે જવાબદાર છે. કલમ હેઠળ એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા છ મહિનાની જેલ અથવા બંને સજા થઈ શકે છે. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)