કાનુની સવાલ : શું છે સ્પેશિયલ મેરેજ એક્ટ ? આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્ન સાથે આ કાયદાની ચર્ચા કેમ થઈ રહી છે?

Special Marriage Act: આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા છે. આ કાનુન નિયમ, રજિસ્ટ્રેશન પ્રકિયા જરુરી શરત અને તેના હેઠળ ક્યા ક્યા અધિકારો મળે છે. ચાલો જાણીએ.

| Updated on: Jul 05, 2026 | 9:19 AM
1 / 7
બોલિવુડ અભિનેતા આમિર ખાન ફરી એક વખત પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. 5 જુલાઈ આજે રવિવારના રોજ તે ગર્લફ્રેન્ડ ગોરી સ્પ્રેટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ વખતે બંને પોતાના લગ્ન રજિસ્ટ્રેશન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કરશે.

બોલિવુડ અભિનેતા આમિર ખાન ફરી એક વખત પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. 5 જુલાઈ આજે રવિવારના રોજ તે ગર્લફ્રેન્ડ ગોરી સ્પ્રેટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ વખતે બંને પોતાના લગ્ન રજિસ્ટ્રેશન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કરશે.

2 / 7
 લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, આ કાનુન શું છે. તેમજ તે સામાન્ય લગ્નથી કેટલો અલગ હોય છે. ચાલો સરળ ભાષામાં સમજીએ. આ લગ્નમાં પરિવારના સભ્યો તેમજ નજીકના મિત્રો જ સામેલ થશે.

લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, આ કાનુન શું છે. તેમજ તે સામાન્ય લગ્નથી કેટલો અલગ હોય છે. ચાલો સરળ ભાષામાં સમજીએ. આ લગ્નમાં પરિવારના સભ્યો તેમજ નજીકના મિત્રો જ સામેલ થશે.

3 / 7
સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 ભારતનો એક એવો કાનુન છે. આ કાયદા હેઠળ, કોઈપણ બે પુખ્ત વયના લોકો પોતાનો ધર્મ બદલ્યા વિના લગ્ન કરી શકે છે. આ કાયદો વિવિધ ધર્મો, જાતિઓ અથવા સમુદાયોના લોકોને પણ લાગુ પડે છે.

સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 ભારતનો એક એવો કાનુન છે. આ કાયદા હેઠળ, કોઈપણ બે પુખ્ત વયના લોકો પોતાનો ધર્મ બદલ્યા વિના લગ્ન કરી શકે છે. આ કાયદો વિવિધ ધર્મો, જાતિઓ અથવા સમુદાયોના લોકોને પણ લાગુ પડે છે.

4 / 7
લગ્ન કોઈપણ ધાર્મિક વિધિ દ્વારા નહીં પણ કાયદા હેઠળ નોંધાયેલા હોય છે. આ જ કારણ છે કે ઘણા લોકો પોતાની પસંદગીના લગ્ન કરવા માટે આ કાયદો અપનાવે છે. લગ્ન પછી, પતિ-પત્નીને કાનૂની માન્યતા અને તમામ જરૂરી અધિકારો મળે છે.

લગ્ન કોઈપણ ધાર્મિક વિધિ દ્વારા નહીં પણ કાયદા હેઠળ નોંધાયેલા હોય છે. આ જ કારણ છે કે ઘણા લોકો પોતાની પસંદગીના લગ્ન કરવા માટે આ કાયદો અપનાવે છે. લગ્ન પછી, પતિ-પત્નીને કાનૂની માન્યતા અને તમામ જરૂરી અધિકારો મળે છે.

5 / 7
સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર થયેલા લગ્નને સંપૂર્ણ માન્યતા મળે છે. પતિ-પત્ની સંપત્તિ,ઉત્તરાધિકાર અને અન્ય બીજા કાનુની અધિકારો મળે છે. જો ભવિષ્યમાં કોઈ કારણોથી બંને અલગ થવા માંગે તો આ કાનુન હેઠળ છુટાછેડાની પ્રકિયા પણ પુરી થઈ શકે છે. આ કાનુનમાં બંને પક્ષોના અધિકારોને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેનાથી કોઈ સાથે ખોટું ન થાય.

સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર થયેલા લગ્નને સંપૂર્ણ માન્યતા મળે છે. પતિ-પત્ની સંપત્તિ,ઉત્તરાધિકાર અને અન્ય બીજા કાનુની અધિકારો મળે છે. જો ભવિષ્યમાં કોઈ કારણોથી બંને અલગ થવા માંગે તો આ કાનુન હેઠળ છુટાછેડાની પ્રકિયા પણ પુરી થઈ શકે છે. આ કાનુનમાં બંને પક્ષોના અધિકારોને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેનાથી કોઈ સાથે ખોટું ન થાય.

6 / 7
આજના સમયમાં કેટલાક લોકો પોતાની પસંદ મુજબ લગ્ન કરવા માંગે છે. ત્યારે આ લોકો માટે આ કાનુન એક સરળ અને કાનુની રસ્તો આપે છે,અલગ અલગ ધર્મના લોકો પોતાનો ધર્મ બદલ્યા વિના લગ્ન કરી શકે છે. લગ્નોને સંપૂર્ણપણે કાયદેસર રીતે માન્યતા આપવામાં આવે છે.ધાર્મિક વિધિઓ જરૂરી નથી.ત્રણ સાક્ષીઓની હાજરીમાં લગ્નની નોંધણી કરવામાં આવે છે.પતિ અને પત્નીને સમાન કાનૂની અધિકારો છે.જો જરૂરી હોય તો, કાયદા હેઠળ છૂટાછેડા પણ મેળવી શકાય છે.

આજના સમયમાં કેટલાક લોકો પોતાની પસંદ મુજબ લગ્ન કરવા માંગે છે. ત્યારે આ લોકો માટે આ કાનુન એક સરળ અને કાનુની રસ્તો આપે છે,અલગ અલગ ધર્મના લોકો પોતાનો ધર્મ બદલ્યા વિના લગ્ન કરી શકે છે. લગ્નોને સંપૂર્ણપણે કાયદેસર રીતે માન્યતા આપવામાં આવે છે.ધાર્મિક વિધિઓ જરૂરી નથી.ત્રણ સાક્ષીઓની હાજરીમાં લગ્નની નોંધણી કરવામાં આવે છે.પતિ અને પત્નીને સમાન કાનૂની અધિકારો છે.જો જરૂરી હોય તો, કાયદા હેઠળ છૂટાછેડા પણ મેળવી શકાય છે.

7 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

Follow Us