જો પતિ પોતાની પત્નીને આર્થિક રુપથી ટેકો આપતો નથી. તો પત્ની ભરણપોષણની માંગ કરી શકે છે.દહેજ માટે ત્રાસ અથવા શારીરિક માનસિક ત્રાસ,જો પત્નીને દહેજ માટે ત્રાસ અથવા શારીરિક/માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય, તો તે ભરણપોષણની માંગ કરી શકે છે.
ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A અને દહેજ પ્રતિબંધ અધિનિયમ આ હેઠળ આવે છે.
જ્યારે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા હોય અને બંને એકબીજાથી અલગ રહેતા હોય, ત્યારે પત્ની ભરણપોષણની માંગ કરી શકે છે. આ પરિસ્થિતિ છૂટાછેડા અથવા કાનૂની (Separation) દરમિયાન ઊભી થઈ શકે છે.
ભારતીય દંડ સંહિતાની કલમ 125 હેઠળ પત્ની, બાળકો અને માતા-પિતાને ભરણ પોષણ માંગવાનો અધિકાર છે. જો પતિ પોતાની પત્નીને આર્થિક સહાયતા આપતો નથી. તો પત્ની આ કલમ હેઠળ ભરણપોષણની માંગ કરી શકે છે.
લેન્ડમાર્ક કાયદાઓ/કેસ કાયદાઓ જોઈએ તો શાહી હસન વિરુદ્ધ શાહિદ હસન (2017) આ કેસમાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ,પત્નીને ભરણપોષણનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો પતિની આર્થિક સ્થિતિ સારી હોય તો તેણે પત્નીનું ભરણપોષણ કરવું ફરજિયાત છે.
રાજીવ કુમાર યાદવ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય (2019), આ કેસમાં, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પત્નીને ચૂકવવાના ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે, પત્નીની જરૂરિયાતો અને પતિની ક્ષમતાને ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે.
જો પત્ની કોઈ કારણસર (જેમ કે શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ) કામ કરી શકતી નથી, તો પણ તે ભરણપોષણની માંગણી કરી શકે છે.જો પતિની આવક સારી હોય કે મિલકત સારી હોય અને પત્નીને તેની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી પડી રહી હોય, તો તે ભરણપોષણ માંગી શકે છે. કોર્ટ પતિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ભરણપોષણ નક્કી કરે છે.
ભરણપોષણનો આદેશ સિવિલ કોર્ટના આદેશની જેમ લાગુ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ ભરણપોષણના આદેશનું ઉલ્લંઘન કરે છે, તો તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
(અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image: Symbolic Image)