
અરજદારોએ એફઆઈઆર અને તેનાથી ઉદ્ભવતી તમામ કાર્યવાહી રદ કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.અરજદારોના વકીલે દલીલ કરી હતી કે, ફરિયાદીએ પરિવારના સભ્યો સામે "સામાન્ય આરોપો" લગાવ્યા હતા. જેથી તેઓ ગુનામાં ફસાઈ જાય. એવી દલીલ કરવામાં આવી હતી કે, FIRમાં દર્શાવેલ હકીકતો સાચી હોવાનું માની લેવામાં આવે તો પણ, તે IPCની કલમ 498A હેઠળ ગુનાના આવશ્યક તત્વો સ્થાપિત કરતા નથી. અરજદારોએ દાવો કર્યો હતો કે, FIR તેમના પર દબાણ લાવવા માટે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ હતો.

ન્યાયાધીશ જે.સી. દોશીએ એફઆઈઆરની દલીલો અને સામગ્રીની તપાસ કર્યા પછી, શોધી કાઢ્યું કે આરોપો સામાન્ય અને અસ્પષ્ટ સ્વભાવના હતા.

કોર્ટે તેના આદેશમાં કહ્યું, "એફઆઈઆર અરજદારો સામે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હોવાનું જણાય છે અને અરજદારોને ટ્રાયલનો સામનો કરવાની મંજૂરી આપવી એ એક વાહિયાત પ્રક્રિયા હશે." પરિણામે, અરજીને મંજૂરી આપવામાં આવી, અને વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર (આઈ-સી.આર.નં.284 ઓફ 2016) અને તેના અનુસંધાનમાં શરૂ કરાયેલી તમામ કાર્યવાહી રદ કરવામાં આવી હતી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)