
તેમના વકીલ કેવી મુથુકુમારે વધુમાં દલીલ કરી હતી કે, તેમને બીજા લગ્ન પછી જ સરકારી શિક્ષણની નોકરી મળી હતી. એટલે કે, આ આદેશ દ્વારા સુપ્રીમ કોર્ટે હવે પ્રસૂતિ લાભોનો વ્યાપ વધાર્યો છે. મેટરનિટી લીવ હવે મૂળભૂત પ્રજનન અધિકારોના ભાગ રૂપે માન્ય છે.

તમને જણાવી દઈએ કે,મેટરનિટી લીવ એક એવી રજા છે.જે પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને તેમના શ્રમ અધિકારો હેઠળ આપવામાં આવે છે, જેથી તેઓ તેમના નવજાત બાળકની સંભાળ રાખી શકે અને તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે.

આ રજા સામાન્ય રીતે બાળકના જન્મ પહેલાં અને પછી લઈ શકાય છે. સગર્ભા સ્ત્રીઓને તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવવા માટે આરામ અને સંભાળની જરૂર હોય છે.

મેટરનિટી લીવ માટેના કાયદા અલગ અલગ કંપની મુજબ જુદા જુદા હોઈ શકે છે. પરંતુ શુ કોઈ કંપની બે બાળકો બાદ ત્રીજા બાળકની પ્રસૂતિ સમયે મેટરનિટી લીવ આપવાનો ઈન્કાર કરી શકે કે નહીં ? જો બે બાળકોની પ્રસૂતિમાંથી કોઈ એક જ બાળકની પ્રસૂતિ સમયે મેટરનિટી લીવ લીધી હોય અને ત્રીજા બાળકની પ્રસૂતિ સમયે માંગેલી મેટરનિટી લીવ આપવા માટે કંપની ઈન્કાર કરી શકે કે નહીં ?

. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)