
જો તમે એક નક્કી કરેલા સમય સુધી ભાડે રહો છો. જેમ કે, 11 મહિના કે 1 વર્ષ તો આ સમયે મકાન માલિક તમારું ભાડું વધારી ન શકે. જ્યાં સુધી એગ્રિમેન્ટમાં ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય. જો એગ્રિમેન્ટમાં લખ્યું હોય કે, દર વર્ષે 10 ટકા ભાડું વધારશે. તો આ માન્ય ગણાશે.

કેટલાક રાજ્યોમાં, ભાડું વધારવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમ કે દર વર્ષે ભાડું ફક્ત 10 ટકા વધારી શકાય છે. આ ઉપરાંત, મકાનમાલિકે ભાડું વધારતા પહેલા નોટિસ આપવી જરૂરી છે. નોટિસ વિના ભાડું વધારવું ગેરકાયદેસર માનવામાં આવે છે.

જો તમે એગ્રિમેન્ટ પર સિગ્નેચર કરી હોય, તો તેમાં લખ્યું હોય છે કે દર વર્ષે ભાડું કેટલું વધશે. સામાન્ય રીતે, વાર્ષિક 5 થી 10 ટકા વધારો થઈ શકે છે. તે જ સમયે, મિલકત ટ્રાન્સફર અધિનિયમ 1882 ની કલમ 106 હેઠળ, મકાનમાલિકે ભાડું વધારતા પહેલા ભાડૂઆતને લેખિત સૂચના આપવી જરૂરી છે. મકાનમાલિકે ઓછામાં ઓછા 15 દિવસ અગાઉ લેખિત સૂચના આપવી પડશે.

જો મકાનમાલિક તમારી પાસેથી વધુ ભાડું વસૂલતો હોય, તો તમે કોર્ટમાં ફરિયાદ કરી શકો છો. સામાન્ય રીતે, ભાડું તે મિલકતની કિંમતના 8 થી 10 ટકા હોવું જોઈએ. ભાડું હંમેશા મિલકતની સ્થિતિ, સ્થાન અને ફર્નિચર વગેરે જોયા પછી નક્કી કરવામાં આવે છે.દરેક ભાડૂતને ભાડાના મકાનમાં વીજળી, પાણી અને ગેસ જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવાનો અધિકાર છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
Published On - 7:15 am, Thu, 26 June 25