
એરલાઇન સ્ટાફને કાયદા પ્રમાણે અધિકાર છે કે જો કોઈ મુસાફર: નશામાં અસ્થિર રીતે ચાલતો હોય, ઉંચા સ્વરથી વાત કરતો હોય, ઝઘડાળુ વર્તન કરતો હોય, સ્ટાફની સૂચનાઓ માનતો ન હોય, તો તેને “Unruly Passenger” તરીકે લિસ્ટ કરી બોર્ડિંગ સંપૂર્ણપણે રોકી શકાય છે. કેટલીક વાર આવા મુસાફરો પર ફ્લાઈંગ બેન પણ લાગી શકે છે.

બહુવાર લોકો કહે છે કે “આપણે થોડુ પીધુ છે, નશો નથી।” પરંતુ નિર્ણય મુસાફર નહીં, એરપોર્ટ સિક્યુરિટી અને એરલાઇન સ્ટાફ લે છે. તેમનો એક નિર્ણય અંતિમ ગણાય છે.

દારુ પીધા પછી મુસાફરી કરી શકાય છે પણ અમુક શરતો સાથે. વિદેશી ફ્લાઈટ હોય તો તેમાં દારુ આપવામાં આવે છે. ખાસ કરીને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં. મુસાફર પોતે સંયમ રાખે તો તેને પીવાની છુટ છે. એટલે કે તમે ગુસ્સો, ઉંચા અવાજે કે કોઈ ધતિંગ કરી શકો નહીં.

કેટલાક મુસાફરો ફ્લાઇટમાં બેસ્યા પછી પણ વધુ પી લે છે, પરંતુ એરલાઇન પાસે તે બંધ કરવાની પણ મર્યાદા છે. જો સ્ટાફને લાગે કે તમે વધુ નશો કરી રહ્યા છો, તો તેઓ પીવાનું બંધ કરવા કહી શકે છે. આ તમામ નિયમો એક જ કારણ માટે છે અને તે છે મુસાફરોની સલામતી સૌ પ્રથમ.

અંતમાં દારૂ પીધા પછી મુસાફરી કરવી સંપૂર્ણપણે મનાઈ નથી, પરંતુ મર્યાદામાં પીવું, વ્યવહાર સંતુલિત રાખવો અને સિક્યુરિટી ચેક દરમિયાન શાંતિપૂર્ણ વર્તન રહેવું અત્યંત જરૂરી છે. નહિ તો વિમાનમાં બેસવાના બદલે તમને એરપોર્ટની બહાર મોકલી દેવામાં આવશે.