
મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી કાયદા હેઠળ: મુસ્લિમ કાયદામાં કાયદેસર દત્તક લેવાની કોઈ વિભાવના નથી, તેથી ત્યાં દત્તક લીધેલું બાળક વારસદાર બનતું નથી. ખ્રિસ્તી અને પારસી કાયદાઓમાં પણ દત્તક લીધેલું બાળક આપમેળે વારસદાર બનતું નથી. સિવાય કે તેને વસિયતનામા દ્વારા મિલકત આપવાની જોગવાઈ હોય.

નિષ્કર્ષ: જો દત્તક લીધેલા બાળક હિન્દુ કાયદા હેઠળ દત્તક લેવામાં આવે છે તો તેને તેના દત્તક માતાપિતાની સ્વ-સંપાદિત અને પૂર્વજોની મિલકતમાં તેટલો જ હિસ્સો મળશે જેટલો જ સગા બાળકોને મળે છે. પરંતુ જો મિલકત વસિયતનામા દ્વારા બીજા કોઈને સોંપવામાં આવી હોય તો તેનો દાવો નબળો થઈ શકે છે. (અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.))