
કાનૂની સ્થિતિ અને ન્યાયિક નિર્ણયો વિશે વાત કરીએ તો, સુપ્રીમ કોર્ટનો ચુકાદો 2025: મે 2025માં એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, ભારતની સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે મેટરનિટી લીવ ફક્ત સામાજિક ન્યાયનો મુદ્દો નથી પરંતુ મહિલાઓનો બંધારણીય અધિકાર છે. આ ચુકાદાએ મદ્રાસ હાઇકોર્ટના આદેશને ઉલટાવી દીધો હતો જેમાં સરકારી શાળાના શિક્ષકને ત્રીજા બાળકના જન્મ પર મેટરનિટી લીવ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે આ મહિલાના ગૌરવ અને ન્યાયનું ઉલ્લંઘન છે

મદ્રાસ હાઇકોર્ટે એક કેસમાં ઠરાવ્યું હતું કે જો કોઈ મહિલા કર્મચારીએ પહેલી વાર ત્રીજા બાળક માટે મેટરનિટી લીવ માટે અરજી કરી હોય, તો રાજ્યની નીતિ બે બાળકો પછી રજાની મંજૂરી ન આપે તો પણ તેને આ રજા આપી શકાય છે.

કેટલીક રાજ્ય સરકારો તેમની નીતિઓ હેઠળ ત્રીજા બાળક માટેમેટરનિટી લીવ આપતી નથી. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ: અહીં રાજ્ય સરકારની નીતિઓ અનુસાર, જો મહિલા કર્મચારીને બે બાળકો હોય, તો ત્રીજા બાળક માટે મેટરનિટી લીવ આપવામાં આવતી નથી. તમિલનાડુ અહીં રાજ્ય નીતિ અનુસાર, જો મહિલા કર્મચારીને બે બાળકો હોય, તો ત્રીજા બાળક માટે મેટરનિટી લીવનો દાવો કરી શકાતો નથી.

મેટરનિટી બેનિફિટ (સુધારા) અધિનિયમ, 2017 મુજબ, મહિલાઓને 26 અઠવાડિયાની મેટરનિટી લીવ મળે છે, જે પહેલા 12 અઠવાડિયા હતી. આ ઉપરાંત, જો કોઈ મહિલા 3 મહિનાથી ઓછી ઉંમરના બાળકને દત્તક લે છે, તો તેને 12 અઠવાડિયાની લીવ પણ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે, આ લીવ દરમિયાન કંપની દ્વારા મહિલાઓને સંપૂર્ણ પગાર પણ આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, આ કાયદો મહિલાઓને મેટરનિટી લીવ આપે છે જેથી તેઓ તેમના બાળકોની સંભાળ રાખી શકે અને સ્વસ્થ રહી શકે.

. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)