
પૈસાની જરુર પડે ત્યારે હંમેશા લોકો પર્સનલ લોનનો વિકલ્પ પસંદ કરે છે. કેટલાક કેસમાં લોન સરળતાથી મળી જાય છે. પરંતુ તેનું વ્યાજદર વધારે હોય છે. કેટલાક લોકોના મનમાં સવાલ થાય છે કે, જો કોઈ લોન લેનારનું મૃત્યું થાય તો પર્સનલ લોન ચૂકવવાની જવાબદારી કોની હોય છે.

લોન લેનાર વ્યક્તિનું મૃત્યું બાદ લોન ચૂકવવાનો મામલો લોન એગ્રીમેન્ટની શરતો પર નિર્ભર કરે છે. જો કોઈ લોન લેનાર વ્યક્તિનું મૃત્યું થઈ જાય છે. તો બેંક કે એનબીએફસી પહેલા એ સમજવાનો પ્રયત્ન કરે છે કે, પૈસા કઈ રીતે પરત મળશે.આ પછી, સંજોગોના આધારે, લોન કેવી રીતે વસૂલવામાં આવશે તે નક્કી કરવામાં આવે છે.

પર્સનલ લોન સામાન્ય રીતે અસુરક્ષિત હોય છે, એટલે કે તેમને સુરક્ષિત કરવા માટે કોઈ મિલકત કે સંપત્તિ જામીનગીરીમાં રાખવામાં આવતી નથી. તેથી, જો લોન લેનારનું મૃત્યુ થાય છે, તો તેમનો પરિવાર લોન ચૂકવવા માટે જવાબદાર નથી.

જ્યારે કોઈ લોનમાં co-borrower या guarantor જોડવામાં આવે છે. તો લોન ભરવાની જવાબદારી પણ તેની રહે છે.Co-borrower શરુ થી લોન ચૂકવણીમાં બરાબરનો ભાગીદાર માનવામાં આવે છે. EMI ભરવામાં co-borrowerની સંપૂર્ણ જવાબદારી હોય છે.

બીજી બાજુ પર્સનલ લોન લેનાર વ્યક્તિ લોન ચૂકવી ન શકે તો આની જવાબદારી ગેરંટર પર આવે છે. આવી સ્થિતિમાં, ગેરંટર પર લોન ચૂકવવાનું દબાણ થઈ શકે છે.

જો લોન લેનાર વ્યક્તિએ લોનના બદલામાં કોઈ સંપત્તિ ગીરવે મૂકી હોય, તો બેંક આ સંપત્તિમાંથી લોનની રકમ વસૂલ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિએ ઘર, જમીન અથવા સોનું ગીરવે મૂક્યું હોય, તો બેંક લોનની રકમ વસૂલવા માટે તેને વેચી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )