
ઘરેલું હિંસા અધિનિયમ 2005ના સેક્શન 17 હેઠળ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કાનુન બનાવવામાં આવ્યો છે. આ કાનુન હેઠળ મહિલાઓને પતિના ઘરમાં રહેવાનો અધિકાર છે. ભલે પછી તે ઘર પતિ કે અન્ય સભ્યના નામ પર હોય. જો પતિ કે, તેના પરિવારના લોકો તમને ઘરમાંથી કાઢી મુકે છે. તો તમે કોર્ટ કે રેસીડન્સનો ઓર્ડર લઈ શકો છો.

જો પતિ-પત્નીએ સાથે કોઈ પ્રોપર્ટી ખરીદ્યી છે અને સેપરેશન બાદ પતિ તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે તો તેમની પત્નીની સમંતિ લેવી પડશે. માત્ર સમંતિ નહી પરંતુ પત્નીની સહિ પણ લેવી પડશે. છુટાછેડા લેવા સુધી અને પત્નીને તેનો ભાગ કે અધિકારી મળવા સુધી પત્નીનો પતિની સંપત્તિ પર અધિકાર હોય છે.

આ અધિકાર ત્યાંસુધી સીમિત છે. જ્યારે પ્રોપર્ટી પૈતૃક હોય છે પરંતુ સ્વ-અ્જિત કે પત્ની સાથે જોઈન્ટ પ્રોપર્ટી પર અધિકારની મર્યાદા વધે છે.ભારતીય કાયદા અનુસાર, છૂટાછેડા પછી, પત્નીને પતિની મિલકતનો સંપૂર્ણ કે અડધો ભાગ મળતો નથી.

છૂટાછેડાના કિસ્સામાં, પત્નીને ફક્ત પતિની આવક, કમાણી અને મિલકત અનુસાર જ અધિકાર મળે છે. તે જ સમયે, જો પત્નીનો દરજ્જો એટલે કે કમાણી અને મિલકત પતિની સમાન હોય, તો આવા કિસ્સાઓમાં કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી જ નિર્ણય લેવામાં આવે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)