
દિલ્લી જંતર-મંતર પ્રદર્શન દરમિયાન એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે. 30 જુલાઈના રોજ નોઈડા પોલીસે શાંતિ ભંગ અપમાન અને માનહાનિ સાથે જોડાયેલી બીએનએસની કલમમાં એફઆઈઆર દાખલ કરી હતી.

છોકરીની માતાએ પણ પોલીસ સમક્ષ માફી માંગીને સમગ્ર ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું.FIR પછી 31 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર નવો વીડિયો શેર કર્યો. જેમાં કહ્યું આમતેમ ફરતા બાળકોએ તેમની દિવંગત માતાને ગાળીઓ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું આવા બાળકોને સજા દેવાના બદલે સાચો રસ્તો દેખાડવો જોઈએ. તેમમે તેને માફ કરવાની વાત કરી હતી. ત્યારબાદ આ મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હવે એ પ્રશ્ન થાય કે, શું અપશબ્દો બોલવા ગુનો છે.આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર કાયદા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ચર્ચા તેજ થઈ ગઈ છે. શું અપશબ્દો બોલવા એ ગુનો ગણાય છે? અને જો એમ હોય તો, આવા કિસ્સાઓમાં આરોપીઓને કઈ સજાનો સામનો કરવો પડે છે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે?

કાયદાકીય નિષ્ણાતો કહે છે કે, દરેક અપશબ્દો બોલવાએ ગુનો નથી. જો કોઈ શબ્દનો ઉપયોગ સામાન્ય વાતચીતમાં અપમાનના ઈરાદા વિના કરવામાં આવે તો તેને ગુનો ગણવામાં આવતો નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, દરેક અશ્લીલ શબ્દ અશ્લીલ નથી. કોઈ શબ્દ ફક્ત ત્યારે જ અશ્લીલ માનવામાં આવશે જ્યારે તેનો હેતુ જાતીય અશ્લીલતા ફેલાવવાનો હોય અથવા સમાજને ભ્રષ્ટ કરવાનો હોય.

કોઈ વ્યક્તિ કોઈનું અપમાન કરે, ધમકાવે કે ગરિમા તેમજ કોઈ મહિલાની મર્યાદાને ઠેસ પહોંચાડવાના ઈરાદે અપશબ્દો બોલે છે. તો આ ગુનો બની છે. આવા કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 352 શાંતિ ભંગ કરવાના ઈરાદા સાથે અપમાન અને કલમ 351 ધમકી હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે. દોષી થનારા લોકોને 2 વર્ષની જેલ કે દંડ થઈ શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )