
પ્રેમાનંદ મહારાજ સાથેની વાતચીતમાં મહારાજે પૂછ્યું, તમે બધા ખુશ છો? વિરાટ કોહલીએ કહ્યું હા ગુરુજી. મહારાજે કહ્યું- ભગવાનની કૃપા યશ કે વૈભવમાં વધારો થવાને કારણે નથી માનવામાં આવતી, ભગવાનની કૃપા ત્યારે જ માનવામાં આવે છે જ્યારે અંદરથી ચિંતન હોય. સંતો ફક્ત રસ્તો બતાવી શકે છે. નામનો વધુ પડતો જાપ કરવો જરૂરી નથી.જે કરો સાચી ભક્તિથી કરવું જોઈએ.

વિરાટ-અનુષ્કા ત્રણ કલાક સુધી આશ્રમમાં રહ્યા: મહારાજે કોહલી અને અનુષ્કા સાથે લાંબા સમય સુધી વાત કરી. કોહલી મહારાજજી શું કહી રહ્યા હતા તે ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પ્રેમાનંદ મહારાજને મળ્યા બાદ કોહલી અને અનુષ્કા ખૂબ ખુશ દેખાતા હતા. બંનેના ચહેરા પર સંતોષના ભાવ સ્પષ્ટ દેખાતા હતા.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા શ્રી રાધાકેલીકુંજ આશ્રમમાં લગભગ ત્રણ કલાક રોકાયા. પરંતુ પ્રેમાનંદ મહારાજ સાથેની તેમની ખાનગી વાતચીત 15 મિનિટ સુધી ચાલી. વર્ષ 2023માં આ દંપતીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. આ પહેલા બંનેએ ઉત્તરાખંડમાં નીમ કરોલી બાબા આશ્રમ, કૈંચી ધામની આધ્યાત્મિક યાત્રા કરી હતી. વિરાટ ભગવાન શિવનો પણ મોટો ભક્ત છે. તેણે પોતાના શરીર પર ભગવાન શિવના ઘણા ટેટૂ પણ બનાવડાવ્યા છે.