Gandhi Surname History : મહાત્મા ગાંધી, ઈન્દીરા, રાજીવ, સોનીયા, રાહુલ, પ્રિયંકા ગાંધીની અટકનો ઈતિહાસ જાણો

દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે ગાંધી અટકનો અર્થ જાણીશું

| Updated on: Sep 02, 2025 | 7:40 AM
1 / 6
ગાંધી અટકનો અર્થ અને ઈતિહાસ જાણવો એક રસપ્રદ સાંસ્કૃતિક અને ભાષાકીય વિષય છે. આ નામ ભારતના ચોક્કસ સમુદાય અને પ્રદેશ સાથે સંકળાયેલું છે. મહાત્મા ગાંધીના પરિવાર સાથે પણ સંબંધિત છે.

ગાંધી અટકનો અર્થ અને ઈતિહાસ જાણવો એક રસપ્રદ સાંસ્કૃતિક અને ભાષાકીય વિષય છે. આ નામ ભારતના ચોક્કસ સમુદાય અને પ્રદેશ સાથે સંકળાયેલું છે. મહાત્મા ગાંધીના પરિવાર સાથે પણ સંબંધિત છે.

2 / 6
ભગવદ્ગોમંડલ અને અન્ય પબ્લીક ડોમિનમાં આપેલી માહિતી અનુસાર ગાંધી શબ્દ સંસ્કૃત શબ્દ ગંધ પરથી આવ્યો છે. જેનો અર્થ સુગંધ થાય છે. ગાંધી મૂળ રુપે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જે સુગંધી પદાર્થનું વેચાણ કરતા હોય.

ભગવદ્ગોમંડલ અને અન્ય પબ્લીક ડોમિનમાં આપેલી માહિતી અનુસાર ગાંધી શબ્દ સંસ્કૃત શબ્દ ગંધ પરથી આવ્યો છે. જેનો અર્થ સુગંધ થાય છે. ગાંધી મૂળ રુપે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જે સુગંધી પદાર્થનું વેચાણ કરતા હોય.

3 / 6
આ સંદર્ભમાં, "ગાંધી" મૂળ રૂપે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ અત્તર, સુગંધિત પદાર્થો અથવા દવાઓ બનાવતા અથવા વેચતા હતા.

આ સંદર્ભમાં, "ગાંધી" મૂળ રૂપે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ અત્તર, સુગંધિત પદાર્થો અથવા દવાઓ બનાવતા અથવા વેચતા હતા.

4 / 6
ગાંધી અટક મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળતી અટક છે. ગાંધી અટક મોટા ભાગે વણિક સમુદાયમાં જોવા મળે છે. જૈન સમુદાયમાં પણ ગાંધી અટક ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.

ગાંધી અટક મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળતી અટક છે. ગાંધી અટક મોટા ભાગે વણિક સમુદાયમાં જોવા મળે છે. જૈન સમુદાયમાં પણ ગાંધી અટક ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.

5 / 6
ભગવદ્ગોમંડલમાં આપેલી માહિતી અનુસાર ગાંધી અટકનો અર્થ અત્તરિયો થાય છે, અત્તર વેચનાર માણસ, કરિયાણું, વસાણું, મસાલો અને દવા વગેરે પરચૂરણ સરસામાન વેચનાર વેપારીને કહેવામાં આવે છે.

ભગવદ્ગોમંડલમાં આપેલી માહિતી અનુસાર ગાંધી અટકનો અર્થ અત્તરિયો થાય છે, અત્તર વેચનાર માણસ, કરિયાણું, વસાણું, મસાલો અને દવા વગેરે પરચૂરણ સરસામાન વેચનાર વેપારીને કહેવામાં આવે છે.

6 / 6
આ ઉપરાંત ભગવદ્ગોમંડલમાં આપેલી માહિતી અનુસાર ગાંધી અટક ધરાવતા લોકો દશાશ્રીમાળી વાણિયા અને મેમણ સમુદાયમાં આવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

આ ઉપરાંત ભગવદ્ગોમંડલમાં આપેલી માહિતી અનુસાર ગાંધી અટક ધરાવતા લોકો દશાશ્રીમાળી વાણિયા અને મેમણ સમુદાયમાં આવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

Published On - 7:59 am, Sat, 2 August 25