
આન્દ્રે રસેલને પણ 12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે રસેલને રિટેન કરવામાં આવી રહ્યો નથી પરંતુ છેલ્લી ક્ષણે KKRએ રમત બદલી નાખી.

આ સિવાય ઝડપી બોલર હર્ષિત રાણાને KKR દ્વારા 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે.

ઓલરાઉન્ડર રમનદીપ સિંહને પણ 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે, જેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે.

KKRએ આ ખેલાડીઓને રિટેન કર્યા નથી. જેમાં શ્રેયસ અય્યર, મિચેલ સ્ટાર્ક, કેએસ ભરત, અંગક્રિશ રઘુવંશી, ચેતન સાકરિયા, સાકિબ હુસૈન, ગુસ એટકિન્સન, મુજીબ ઉર રહેમાન, મનીષ પાંડે, શેરફેન રધરફોર્ડ, નીતિશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, અનુકુલ રોય, વેંકટેશ ઐયર, સુયશ શર્મા, અરવિંદ શર્મા. (તસવીર સૌજન્યઃ x.com/KKRiders)