
અમદાવાદના સત્તાધીશોના મત અનુસાર, સાબરમતી રિવરફ્રંટ બાદ ખારીકટ કેનાલ, શહેરનો બીજો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બની રહેશે. ખારીકટ કેનાલના વિકાસના પ્રથમ તબક્કામાં, પૂર્વ અમદાવાદમાં કેનાલના કિનારે કિનારે 12 કિલોમીટર લાંબા રસ્તા બનાવાશે.

કેનાલના કિનારે રસ્તા બનાવવાનું કામ હાલ 80 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, ખારીકટ કેનાલના વિકાસની બીજા તબક્કા માટે રૂપિયા 1,003 કરોડને મંજૂરી આપી દીધી છે.

વર્ષ 2026-2027માં જ્યારે ખારીકટ કેનાલનુ કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે ત્યારે પૂર્વ અમદાવાદના નાગરિકોને, કારણે ટ્રાફિક સમસ્યા, વરસાદી પાણી ભરાવાની સમસ્યા, ગંદકીની સમસ્યાનો ઉકેલ લાવવાની સાથે સાથે વધારાનું એક નવું નજરાણું મળશે.