History of city name : ‘કાળો ડુંગર’ ના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાની ઉત્તરે આવેલું એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક સ્થાન છે કાળો ડુંગર. આ સ્થાનનું નામ અને ઇતિહાસ બંને ખૂબ જ રસપ્રદ છે. ચાલો તેના નામકરણ અને ઇતિહાસ પર વિગતવાર નજર કરીએ.

| Updated on: Jul 26, 2025 | 9:13 PM
1 / 6
"કાળો ડુંગર" શબ્દશઃ અર્થ થાય છે “કાળો પર્વત”, તેને આ નામ તેના પર્વત જેવા ઊંચા કાળા પથ્થરોને કારણે મળ્યું છે. કચ્છના બાકીના વિસ્તાર કરતાં આ ડુંગર ઉંચો છે અને તેના પથ્થરો  કાળા રંગના હોવાથી લોકોને તે કાળા ડુંગર તરીકે ઓળખાતો ગયો.ઇતિહાસકારો અને સ્થાનિક લોકકથાઓ અનુસાર, સમય જતા તેને "કાળો ડુંગર" તરીકે ઓળખવાનું શરૂ થયું, અને આજે તે કચ્છનું સૌથી ઊંચા  શિખર તરીકે જાણીતી જગ્યા છે. (Credits: - Wikipedia)

"કાળો ડુંગર" શબ્દશઃ અર્થ થાય છે “કાળો પર્વત”, તેને આ નામ તેના પર્વત જેવા ઊંચા કાળા પથ્થરોને કારણે મળ્યું છે. કચ્છના બાકીના વિસ્તાર કરતાં આ ડુંગર ઉંચો છે અને તેના પથ્થરો કાળા રંગના હોવાથી લોકોને તે કાળા ડુંગર તરીકે ઓળખાતો ગયો.ઇતિહાસકારો અને સ્થાનિક લોકકથાઓ અનુસાર, સમય જતા તેને "કાળો ડુંગર" તરીકે ઓળખવાનું શરૂ થયું, અને આજે તે કચ્છનું સૌથી ઊંચા શિખર તરીકે જાણીતી જગ્યા છે. (Credits: - Wikipedia)

2 / 6
કાળા ડુંગરની ટોચ પર ભગવાન દત્તાત્રેયનું 400 વર્ષ જૂનું મંદિર છે. દત્તાત્રેય ભગવાન ત્રણ દેવતાઓ  બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ના સંયુક્ત અવતાર તરીકે પૂજાય છે. સ્થાનિક માન્યતા મુજબ, ભગવાન દત્તાત્રેય કાળમાં અહીં વસવાટ કરતા હતા અને તેમની ઉપાસના માટે આ સ્થાન વિખ્યાત છે.

કાળા ડુંગરની ટોચ પર ભગવાન દત્તાત્રેયનું 400 વર્ષ જૂનું મંદિર છે. દત્તાત્રેય ભગવાન ત્રણ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ના સંયુક્ત અવતાર તરીકે પૂજાય છે. સ્થાનિક માન્યતા મુજબ, ભગવાન દત્તાત્રેય કાળમાં અહીં વસવાટ કરતા હતા અને તેમની ઉપાસના માટે આ સ્થાન વિખ્યાત છે.

3 / 6
કાળો ડુંગર કચ્છનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ 458 મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી 97 કિમી દૂર આવેલો છે અને સૌથી નજીકનું શહેર ખાવડા છે. આ કદાચ એક માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો 360 અંશનો દેખાવ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે, તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે. (Credits: - Wikipedia)

કાળો ડુંગર કચ્છનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ 458 મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી 97 કિમી દૂર આવેલો છે અને સૌથી નજીકનું શહેર ખાવડા છે. આ કદાચ એક માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો 360 અંશનો દેખાવ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે, તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે. (Credits: - Wikipedia)

4 / 6
કાળા ડુંગર પર આવેલ દત્તાત્રેય મંદિર એક અનોખી દંતકથાથી જોડાયેલું છે. માન્યતા છે કે જ્યારે ભગવાન દત્તાત્રેય પૃથ્વી પર  ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે  તેઓ કાળા ડુંગર નજીક રોકાયા હતા, ત્યારે તેમણે ભૂખ્યા શિયાળના ટોળાને જોયા. દયાથી અભિભૂત થઈ તેઓએ પોતાના શરીરનો અંશ તેમને ખવડાવ્યો. લોકવિશ્વાસ અનુસાર, ભગવાનના અંગો જાતે જ  સજીવન થવા લાગ્યા હતા. ત્યારથી, છેલ્લા ચારસો વર્ષથી અહીંના મંદિરના પૂજારી દ્વારા દરરોજ સાંજે આરતી પછી રાંધેલા ભાતનો પ્રસાદ શિયાળને અર્પણ કરવામાં આવે છે.આ પરંપરા આજે પણ અવિરત ચાલે છે અને અનેક ભાવિકો માટે આ એક દૈવી ચમત્કાર રૂપ ઘટના ગણાય છે.

કાળા ડુંગર પર આવેલ દત્તાત્રેય મંદિર એક અનોખી દંતકથાથી જોડાયેલું છે. માન્યતા છે કે જ્યારે ભગવાન દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર નજીક રોકાયા હતા, ત્યારે તેમણે ભૂખ્યા શિયાળના ટોળાને જોયા. દયાથી અભિભૂત થઈ તેઓએ પોતાના શરીરનો અંશ તેમને ખવડાવ્યો. લોકવિશ્વાસ અનુસાર, ભગવાનના અંગો જાતે જ સજીવન થવા લાગ્યા હતા. ત્યારથી, છેલ્લા ચારસો વર્ષથી અહીંના મંદિરના પૂજારી દ્વારા દરરોજ સાંજે આરતી પછી રાંધેલા ભાતનો પ્રસાદ શિયાળને અર્પણ કરવામાં આવે છે.આ પરંપરા આજે પણ અવિરત ચાલે છે અને અનેક ભાવિકો માટે આ એક દૈવી ચમત્કાર રૂપ ઘટના ગણાય છે.

5 / 6
કાળા ડુંગર, ખાસ કરીને “રણોત્સવ” (Rann Utsav) દરમિયાન હજારો પ્રવાસીઓને આકર્ષે છે. અહીંથી થતું "સનસેટ વિહાર" પણ ઘણી લોકપ્રિય છે. યાત્રા દરમિયાન, અહીં આવેલ દત્તાત્રેય મંદિર અને ઉપરથી જોવા મળતો રણનો  નજારો  દરેક પ્રવાસીને ભાવે છે. (Credits: - Wikipedia)

કાળા ડુંગર, ખાસ કરીને “રણોત્સવ” (Rann Utsav) દરમિયાન હજારો પ્રવાસીઓને આકર્ષે છે. અહીંથી થતું "સનસેટ વિહાર" પણ ઘણી લોકપ્રિય છે. યાત્રા દરમિયાન, અહીં આવેલ દત્તાત્રેય મંદિર અને ઉપરથી જોવા મળતો રણનો નજારો દરેક પ્રવાસીને ભાવે છે. (Credits: - Wikipedia)

6 / 6
( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Wikipedia)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)

Published On - 7:56 pm, Sat, 26 July 25

Follow Us