
કાળા ડુંગર પર આવેલ દત્તાત્રેય મંદિર એક અનોખી દંતકથાથી જોડાયેલું છે. માન્યતા છે કે જ્યારે ભગવાન દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર નજીક રોકાયા હતા, ત્યારે તેમણે ભૂખ્યા શિયાળના ટોળાને જોયા. દયાથી અભિભૂત થઈ તેઓએ પોતાના શરીરનો અંશ તેમને ખવડાવ્યો. લોકવિશ્વાસ અનુસાર, ભગવાનના અંગો જાતે જ સજીવન થવા લાગ્યા હતા. ત્યારથી, છેલ્લા ચારસો વર્ષથી અહીંના મંદિરના પૂજારી દ્વારા દરરોજ સાંજે આરતી પછી રાંધેલા ભાતનો પ્રસાદ શિયાળને અર્પણ કરવામાં આવે છે.આ પરંપરા આજે પણ અવિરત ચાલે છે અને અનેક ભાવિકો માટે આ એક દૈવી ચમત્કાર રૂપ ઘટના ગણાય છે.

કાળા ડુંગર, ખાસ કરીને “રણોત્સવ” (Rann Utsav) દરમિયાન હજારો પ્રવાસીઓને આકર્ષે છે. અહીંથી થતું "સનસેટ વિહાર" પણ ઘણી લોકપ્રિય છે. યાત્રા દરમિયાન, અહીં આવેલ દત્તાત્રેય મંદિર અને ઉપરથી જોવા મળતો રણનો નજારો દરેક પ્રવાસીને ભાવે છે. (Credits: - Wikipedia)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)
Published On - 7:56 pm, Sat, 26 July 25