
અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ ખાતે ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ દિવા શાહ સાથે લગ્ન કર્યા હતા.

આ પ્રસંગે ગૌતમ અદાણીએ ₹10,000 કરોડના સામાજિક સેવાના પ્રોજેક્ટની જાહેરાત કરીને એક ઉદાહરણ બેસાડ્યું.

લગ્ન પહેલા, જીત અદાણીએ પ્રયાગરાજમાં મહાકુંભના આશીર્વાદ લીધા હતા.

અદાણી પરિવારે લગ્ન સમારોહનું આયોજન સાદગી અને પરંપરાગત મૂલ્યો સાથે કર્યું હતું.

ગૌતમ અદાણીએ દિવ્યાંગ નવપરિણીત મહિલાઓ માટે 'મંગલ સેવા' યોજના શરૂ કરી.

ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન પ્રસંગે સેવા અને સમાજ કલ્યાણને પ્રાથમિકતા આપી. "

લગ્ન પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં એક સરળ અને ભાવનાત્મક વાતાવરણમાં થયા હતા.
Published On - 8:03 pm, Fri, 7 February 25