Breaking News : મુંબઈની ટીમનો ધાકડ બોલર Jasprit Bumrah ના ફોર્મને લઈ કોચે ખોલ્યા રાઝ, આવી સ્થિતિમાં રમ્યો IPL 2026 સિઝન

મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ જસપ્રીત બુમરાહના IPL 2026ના નબળા પ્રદર્શન પાછળનું રહસ્ય ખોલ્યું છે. તેમણે જણાવ્યું કે બુમરાહ T20 વર્લ્ડ કપ દરમિયાન થયેલી ઈજા સાથે જ આ સિઝન રમ્યો હતો.

| Updated on: May 23, 2026 | 7:58 PM
1 / 5
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrah માટે IPL 2026 સીઝન અત્યાર સુધી ખૂબ નિરાશાજનક રહી છે. સામાન્ય રીતે પોતાની ઘાતક બોલિંગ માટે ઓળખાતા બુમરાહ આ વખતે લયમાં જોવા મળ્યા નથી. શરૂઆતની ઘણી મેચોમાં તેઓ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે Mumbai Indiansને બોલિંગ વિભાગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ભારતના સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrah માટે IPL 2026 સીઝન અત્યાર સુધી ખૂબ નિરાશાજનક રહી છે. સામાન્ય રીતે પોતાની ઘાતક બોલિંગ માટે ઓળખાતા બુમરાહ આ વખતે લયમાં જોવા મળ્યા નથી. શરૂઆતની ઘણી મેચોમાં તેઓ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે Mumbai Indiansને બોલિંગ વિભાગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

2 / 5
હવે મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ Mahela Jayawardeneએ બુમરાહના ખરાબ ફોર્મ પાછળનું કારણ જાહેર કર્યું છે. તેમણે ખુલાસો કર્યો કે બુમરાહ IPL 2026માં સંપૂર્ણ રીતે ફિટ નહોતો અને તે ઈજા સાથે જ ટૂર્નામેન્ટ રમવા આવ્યો હતો. જયવર્ધનેના જણાવ્યા અનુસાર, T20 વર્લ્ડ કપ દરમિયાન બુમરાહને નાની ઈજા થઈ હતી. જોકે તેણે આખી ટૂર્નામેન્ટ એ ઈજા સાથે રમી હતી. વર્લ્ડ કપ બાદ મુંબઈ ઇન્ડિયન્સની મેડિકલ ટીમે તેને પૂરતો આરામ આપવાનો નિર્ણય લીધો હતો, જેથી તે સંપૂર્ણ રીતે સાજો થઈ શકે.

હવે મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ Mahela Jayawardeneએ બુમરાહના ખરાબ ફોર્મ પાછળનું કારણ જાહેર કર્યું છે. તેમણે ખુલાસો કર્યો કે બુમરાહ IPL 2026માં સંપૂર્ણ રીતે ફિટ નહોતો અને તે ઈજા સાથે જ ટૂર્નામેન્ટ રમવા આવ્યો હતો. જયવર્ધનેના જણાવ્યા અનુસાર, T20 વર્લ્ડ કપ દરમિયાન બુમરાહને નાની ઈજા થઈ હતી. જોકે તેણે આખી ટૂર્નામેન્ટ એ ઈજા સાથે રમી હતી. વર્લ્ડ કપ બાદ મુંબઈ ઇન્ડિયન્સની મેડિકલ ટીમે તેને પૂરતો આરામ આપવાનો નિર્ણય લીધો હતો, જેથી તે સંપૂર્ણ રીતે સાજો થઈ શકે.

3 / 5
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જયવર્ધનેએ કહ્યું, “બુમરાહની હાલત ઘણા કારણોનું પરિણામ છે. વર્લ્ડ કપમાંથી પરત આવ્યા પછી તેની ઈજા હજુ સંપૂર્ણપણે ઠીક થઈ નહોતી. તેથી અમે શરૂઆતની ચારથી પાંચ મેચમાં તેને સંભાળી ને ઉપયોગ કર્યો. તેની ગતિમાં થોડો ઘટાડો પણ એ જ કારણસર જોવા મળ્યો હતો.”

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જયવર્ધનેએ કહ્યું, “બુમરાહની હાલત ઘણા કારણોનું પરિણામ છે. વર્લ્ડ કપમાંથી પરત આવ્યા પછી તેની ઈજા હજુ સંપૂર્ણપણે ઠીક થઈ નહોતી. તેથી અમે શરૂઆતની ચારથી પાંચ મેચમાં તેને સંભાળી ને ઉપયોગ કર્યો. તેની ગતિમાં થોડો ઘટાડો પણ એ જ કારણસર જોવા મળ્યો હતો.”

4 / 5
આ સીઝનમાં બુમરાહે 13 મેચમાં માત્ર ચાર વિકેટ લીધી છે, જે તેના સ્તર પ્રમાણે ખૂબ જ ઓછું પ્રદર્શન માનવામાં આવે છે. ઘણી મેચોમાં તે મોંઘો પણ સાબિત થયો હતો. મુંબઈ ઇન્ડિયન્સ માટે આ મોટો ઝટકો રહ્યો, કારણ કે ટીમની બોલિંગ ઘણી હદ સુધી બુમરાહ પર નિર્ભર રહેતી આવી છે.

આ સીઝનમાં બુમરાહે 13 મેચમાં માત્ર ચાર વિકેટ લીધી છે, જે તેના સ્તર પ્રમાણે ખૂબ જ ઓછું પ્રદર્શન માનવામાં આવે છે. ઘણી મેચોમાં તે મોંઘો પણ સાબિત થયો હતો. મુંબઈ ઇન્ડિયન્સ માટે આ મોટો ઝટકો રહ્યો, કારણ કે ટીમની બોલિંગ ઘણી હદ સુધી બુમરાહ પર નિર્ભર રહેતી આવી છે.

5 / 5
મુંબઈ ઇન્ડિયન્સ હવે પોતાની અંતિમ લીગ મેચમાં Rajasthan Royals સામે મેદાનમાં ઉતરશે. ટીમ અને ચાહકો બંને આશા રાખી રહ્યા છે કે બુમરાહ આ મેચમાં પોતાની જૂની લયમાં પરત ફરશે અને સીઝનનો અંત સારા પ્રદર્શન સાથે કરશે.

મુંબઈ ઇન્ડિયન્સ હવે પોતાની અંતિમ લીગ મેચમાં Rajasthan Royals સામે મેદાનમાં ઉતરશે. ટીમ અને ચાહકો બંને આશા રાખી રહ્યા છે કે બુમરાહ આ મેચમાં પોતાની જૂની લયમાં પરત ફરશે અને સીઝનનો અંત સારા પ્રદર્શન સાથે કરશે.

Follow Us