
જો તમે પરિવાર સાથે ધાર્મિક યાત્રાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આઈઆરસીટીસી તમારા માટે એક સ્પેશિયલ ટુર પેકેજ લાવ્યું છે.આ પવિત્ર યાત્રામાં ભારતના ધાર્મકિ મંદિરો તેમજ સાંસ્કૃતિક સ્થળોના દિવ્ય દર્શન કરી શકો છો.

IRCTC અવાર-નવાર શાનદાર ટુર પેકેજ લાવે છે. દેખો ભારત દેશ હેઠળ માતા-પિતાની સાથે મલિલ્કાર્જુન જ્યોર્તિલિંગ સહિત તિરુપતિ બાલાજી રામેશ્વરમ જ્યોતિર્લિંગ મીનાક્ષી ટેમ્પલ અને કન્યાકુમારીના દર્શન માટે ધાર્મિક યાત્રા માટે આઈઆરસીટીસી શાનદાર પેકેજ લાવ્યું છે.

આ ટુર પેકેજની શરુઆત 12 મે 2026ના રોજ રાજકોટથી કરવામાં આવશે. આ ટુર પેકેજ 10 રાત્રિ અને 11 દિવસનું છે. જે તમને દક્ષિણ ભારતની યાત્રા કરાવશે.

આ ટુરિસ્ટ પેસેન્જર ટ્રેનમાં ત્રણ ક્લાસ હશે. ઇકોનોમી ક્લાસ સ્લીપર રૂ. 21,525, કમ્ફર્ટ ક્લાસ 3 એસી રૂ. 39,105 અને કમ્ફર્ટ ક્લાસ 2 એસી રૂ. 48,185 ભાડામાં ભોજન, રહેવાની વ્યવસ્થા અને મુસાફરીનો સમાવેશ થાય છે.

આ ટુર પેકેજ પર EMI વિકલ્પો પણ ઉપલબ્ધ છે, અને LTC પણ ઉપલબ્ધ છે. મુસાફરો અમદાવાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે અને સોલાપુર ખાતે આ ટુરિસ્ટ ધાર્મિક ટ્રેનમાં ચઢી શકે છે.

આ ધાર્મિક ટુર પેકેજનું બુકિંગ તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ કરી શકો છો. તેમજ આ પેકેજની વધુ માહિતી તમે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈને જોઈ શકો છો.