
બ્રોકરેજના નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં આ સેક્ટરમાં થોડા સમય માટે વધ-ઘટ (ઉતાર-ચઢાવ) જોવા મળી શકે છે પરંતુ મધ્યમ અને લાંબાગાળામાં આઈટી કંપનીઓની વૃદ્ધિ ચાલુ રહેવાની અપેક્ષા છે.

નુવામાએ તાજેતરમાં 04 મોટી આઈટી કંપનીઓના રેટિંગ વધારીને Buy કરી દીધા છે. આમાં HCLTech, Wipro, Tech Mahindra અને Hexaware Technologies જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. જો કે, બ્રોકરેજે આ કંપનીઓના ટાર્ગેટ પ્રાઈસમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે.

HCLTech નો ટાર્ગેટ પ્રાઈસ ઘટાડીને 1,550 રૂપિયા કરવામાં આવ્યો છે, જે પહેલા 1,700 રૂપિયા હતો. Wipro નો ટાર્ગેટ પ્રાઈસ 255 રૂપિયાથી ઘટાડીને 240 રૂપિયા કરવામાં આવ્યો છે. Tech Mahindra નો ટાર્ગેટ પ્રાઈસ 1,650 રૂપિયા પર યથાવત રાખવામાં આવ્યો છે. Hexaware નો ટાર્ગેટ પ્રાઈસ 690 રૂપિયાથી ઘટાડીને 550 રૂપિયા કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, Coforge માટે Buy રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઈસ 2,100 રૂપિયા અને સંભવિત ઉછાળો 84% બતાવવામાં આવ્યો છે. Mphasis માટે ટાર્ગેટ પ્રાઈસ 3,100 રૂપિયા અને સંભવિત ઉછાળો 42% છે. LTIMindtree માટે ટાર્ગેટ પ્રાઈસ 6,100 રૂપિયા અને સંભવિત ઉછાળો 41% આપવામાં આવ્યો છે.

Tata Consultancy Services માટે ટાર્ગેટ પ્રાઈસ 3,300 રૂપિયા અને સંભવિત ઉછાળો 31% છે, જ્યારે Infosys માટે ટાર્ગેટ પ્રાઈસ 1,650 રૂપિયા અને સંભવિત ઉછાળો 27% બતાવવામાં આવ્યો છે. આ સિવાય Persistent Systems માટે ટાર્ગેટ પ્રાઈસ 6,000 રૂપિયા અને સંભવિત ઉછાળો 26%, Tech Mahindra માટે ટાર્ગેટ પ્રાઈસ 1,650 રૂપિયા અને સંભવિત ઉછાળો 24%, Hexaware Technologies માટે ટાર્ગેટ પ્રાઈસ 550 રૂપિયા અને સંભવિત ઉછાળો 24% આપવામાં આવ્યો છે. Wipro માટે ટાર્ગેટ પ્રાઈસ 240 રૂપિયા અને સંભવિત ઉછાળો 21% તથા HCLTech માટે ટાર્ગેટ પ્રાઈસ 1,550 રૂપિયા અને સંભવિત ઉછાળો 14% બતાવવામાં આવ્યો છે.

બ્રોકરેજના જણાવ્યા અનુસાર, તાજેતરના મહિનાઓમાં આઈટી સેક્ટરના શેરોમાં ઘટાડાનું મુખ્ય કારણ Gen-AI ટેકનોલોજીને લઈને વધતી ચિંતાઓ છે. રોકાણકારોને ડર છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા ઉપયોગથી પરંપરાગત આઈટી સર્વિસની માંગ ઓછી થઈ શકે છે.

એવામાં Nifty IT ઇન્ડેક્સ આ વર્ષના શરૂઆતના બે મહિનામાં 20% થી વધુ ગબડી ચૂક્યો છે. ઇન્ડેક્સમાં જોડાયેલ લગભગ તમામ કંપનીઓના શેરમાં 12% થી લઈને 30% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. નુવામાનું કહેવું છે કે, નવી ટેકનોલોજી આવવા છતાં આઈટી સર્વિસ કંપનીઓની જરૂરિયાત ખતમ નહીં થાય. કંપનીઓને અત્યારે પણ એવા નિષ્ણાતોની જરૂર પડશે કે, જે તેમની સિસ્ટમને ડિઝાઇન, મેનેજ અને કસ્ટમાઇઝ કરી શકે.

બ્રોકરેજનું માનવું છે કે, Gen-AI થી જોખમની સાથે સાથે નવી તકો પણ ઊભી થશે અને આઈટી કંપનીઓ આ તકોનો ફાયદો ઉઠાવી શકે છે. તાજેતરના ઘટાડા પછી આ શેરોનું વેલ્યુએશન પણ રોકાણની દૃષ્ટિએ આકર્ષક બની ગયું છે. નુવામાનું માનવું છે કે, ટૂંકાગાળામાં વધ-ઘટ (ઉતાર-ચઢાવ) શક્ય છે પરંતુ લાંબાગાળે ભારતીય આઈટી સેક્ટરની કહાની હજુ ખતમ થઈ નથી.