
લલિતા જ્વેલરી માર્ટે 1985માં ચેન્નઈના ટી નગર વિસ્તારમાં પહેલો સ્ટોર ખોલ્યો હતો. 31 ડિસેમ્બર, 2024 સુધીમાં, તેના 56 સ્ટોર હતા, જેમાંથી 22 આંધ્રપ્રદેશમાં, 20 તમિલનાડુમાં, 7 કર્ણાટકમાં, 6 તેલંગાણામાં અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં છે.

નાણાંકીય મોરચે, 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં લલિતા જ્વેલરી માર્ટની કોન્સોલિડેટેડ ઓપરેટિંગ આવક અને ચોખ્ખો નફો અનુક્રમે રૂ. 12,594.67 કરોડ અને રૂ. 262.33 કરોડ હતો. આનંદ રાઠી એડવાઇઝર્સ અને ઇક્વિરસ કેપિટલ આ ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર છે.

કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટેડ થવાનો પ્રસ્તાવ છે. લલિતા બ્રાન્ડ હેઠળ સોનાના દાગીના વેચતી આ કંપની ટાઇટન કંપની, કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા, મનોજ વૈભવ જેમ્સ એન જ્વેલર્સ, પીસી જ્વેલર્સ, પીએન ગાડગીલ જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ, થંગામાઇલ જ્વેલરી અને ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી જેવી લિસ્ટેડ કંપનીઓ સાથે કોમ્પિટિશન કરે છે.

તાજેતરના સમયમાં, સોનાના ભાવમાં વધારાથી જ્વેલરી ક્ષેત્રની કંપનીઓને ફાયદો થયો છે. કંપનીના નફામાં અને આવકમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જણાવી દઈએ કે, બદલાતા સમય સાથે બ્રાન્ડેડ જ્વેલરીની માંગ ઝડપથી વધી રહી છે.