
રોશની નાદાર મલ્હોત્રાએ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશન્સમાં બેચલર ડિગ્રી મેળવી અને ત્યારબાદ કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ પૂર્ણ કર્યું. કેલોગ દરમિયાન તેમણે ડીનની ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ એવોર્ડ જીત્યો હતો. 2023માં કેલોગે તેમને સમાજ માટેના યોગદાન બદલ શાફ્નર એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

સાપરસ એસ. પૂનાવાલાએ પુણેની બિશપ્સ સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેમણે 1966માં બૃહાન મહારાષ્ટ્ર કોલેજ ઓફ કોમર્સ (BMCC) માંથી ગ્રેજ્યુએશન કર્યું. 1988માં તેમણે પુણે યુનિવર્સિટીમાંથી પીએચડી મેળવી — તેમનું થિસિસ શીર્ષક હતું “Improved Technology in the Manufacture of Specific Anti-toxins and its Socio-Economic Impact on the Society.” તેમના વૈશ્વિક રસીકરણ અને દાનકાર્ય માટેના યોગદાન બદલ, તેમને ઓક્સફોર્ડ યુનિવર્સિટી (2019) દ્વારા ડોક્ટર ઓફ સાયન્સ (હોનોરિસ કૌસા) અને યુનિવર્સિટી ઓફ મેસાચ્યુસેટ્સ (2018) દ્વારા ડોક્ટર ઓફ હ્યુમેન લેટર્સ (હોનરરી) એનાયત કરવામાં આવી હતી.

કુમાર મંગલમ બિર્લા, એચ. આર. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી બેચલર ડિગ્રી મેળવી અને ત્યારબાદ લંડન બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ પૂર્ણ કર્યું. તેઓ એક ક્વોલિફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને 1995માં આદિત્ય બિર્લા ગ્રુપના અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યું. તેઓ લંડન બિઝનેસ સ્કૂલના માનદ ફેલો પણ છે.

નીરજ બજાજનો જન્મ 10 ઓક્ટોબર, 1954ના રોજ થયો હતો. તેમણે કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે સાયડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ, મુંબઈમાંથી બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી અને ત્યારબાદ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, બોસ્ટનમાંથી એમબીએ પૂર્ણ કર્યું.

દિલીપ સંઘવીએ જે.જે. અજમેરા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ યુનિવર્સિટી ઓફ કલકત્તામાંથી બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી. તેઓ સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે.

અઝીમ પ્રેમજીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે 1960ના દાયકાના અંતથી વિપ્રો લિમિટેડનું નેતૃત્વ કર્યું છે. આ વર્ષે યાદીમાં અનેક યુવા અબજોપતિઓનો સમાવેશ થયો છે, જેમ કે ઝેપ્ટોના સ્થાપકો કૈવલ્ય વોહરા (22) અને આદિત પાલિચા (23), સાથે રોહન ગુપ્તા (SG Finserve) અને શશ્વત નક્રાણી (BharatPe) વગેરે.

શાશ્વત નાકરાણીએ 2015 થી 2019 દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્હી (IIT Delhi) માંથી ટેક્સટાઈલ ટેકનોલોજીમાં બેચલર ડિગ્રી મેળવી. તેમણે ત્રીજા વર્ષ દરમિયાન, 19 વર્ષની ઉંમરે, આશનીર ગ્રોવર સાથે મળીને BharatPeની સ્થાપના કરી.

અરવિંદ શ્રીનિવાસનો જન્મ 7 જૂન, 1994ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેમણે IIT મદ્રાસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડ્યુઅલ ડિગ્રી મેળવી અને પછી યુસી બર્કલી (UC Berkeley) માંથી કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી પૂર્ણ કરી (2021). તેમને “ચેન્નાઈ બોય” તરીકે ઓળખવામાં આવે છે. તેમની પ્રેરણા તેમની માતાની અધૂરી સપનાથી મળી — જેઓ IIT મદ્રાસમાં ભણવા માંગતી હતી.

કૈવલ્ય વોહરાનો જન્મ 2001માં થયો હતો. તેમણે મુંબઈમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો અને ત્યારબાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, અમેરિકામાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા ગયા. પરંતુ તેમણે કોર્સ અધૂરો રાખીને પોતાના ઉદ્યોગ સ્વપ્ન માટે કોલેજ છોડીને 19 વર્ષની ઉંમરે પોતાના મિત્ર આદિત પાલિચા સાથે મળીને Zeptoની સ્થાપના કરી.

આદિત પાલિચાનો જન્મ 2001માં મુંબઈમાં થયો હતો. તેમણે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે પણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ બાદમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કોલેજ છોડી દીધી.
Published On - 5:21 pm, Sun, 12 October 25