તણાવને કારણે સમસ્યાઓ : નિષ્ણાંતોના મતે વધુ પડતા સ્ટ્રેસને કારણે અનેક પ્રકારની શારીરિક તેમજ માનસિક સમસ્યાઓ થાય છે. તણાવ થાક, ઉર્જાનો અભાવ, માથાનો દુખાવો, આધાશીશી, ઊંઘની સમસ્યા, પાચન સમસ્યાઓ અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. નિષ્ણાતોના મતે જ્યારે તણાવ હોય ત્યારે વ્યક્તિને કામ કરવાનું મન થતું નથી અને ખાવાનું પણ મન થતું નથી.