
મંદિર દ્રવિડિયન શૈલીમાં નિર્મિત છે અને અંદરના ગર્ભગૃહમાં સોનાથી મઢાયેલ હનુમાનજીની મૂર્તિ છે. મંદિરની દિવાલો પર ભગવાન રામના નામો લખેલા છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને શક્તિનો અનુભવ કરાવે છે.

એ સમયગાળામાં હનુમાનજીનું પ્રાચીન મંદિર ત્યાં હાજર હતું. નજીકમાં એક અંગ્રેજ અધિકારી કાર્યરત હતો, જેને મંદિરના સ્થાનને લઈ પ્રશ્ન ઊઠાવ્યો. તેણે પૂજારીઓને સૂચન કર્યું કે મંદિરને બીજી જગ્યાએ ખસેડવું જોઈએ.

પરંતુ ભક્તો અને પૂજારીઓએ આ વાતનો ભારે વિરોધ કર્યો. ત્યારબાદ બ્રિટિશ અધિકારીએ આસપાસના કેટલાક નાના મંદિરો અને ચાર હોટલો તોડી નાખવાનો આદેશ આપ્યો. જ્યારે હનુમાનજીના મંદિરે ધ્વંસ કરવાનો પ્રયાસ થયો, ત્યારે હજારો ભક્તોએ પીળા અને કાળા કપડાં પહેરી મંદિરની આસપાસ માનવીય શૃંખલા બનાવી અને રક્ષણ માટે ઊભા રહ્યા.

બ્રિટિશ અધિકારીએ મજૂરો મોકલ્યા, પરંતુ ત્યારે એક ઘટના બની. અનેક ભમરીઓ (મધમાખીઓ)ના ઝુંડ ઊડી આવ્યું અને મજૂરો પર જ હુમલો કર્યો, જ્યારે અન્ય કોઈને નુકસાન ન થયું. આ દ્રશ્ય જોઈને બ્રિટિશ અધિકારી આઘાતમાં આવ્યો અને આ ઘટનાને ચમત્કારરૂપ માનતા મંદિર હટાવવાનો વિચાર છોડવો પડ્યો. તેમણે આખરે માની લીધું કે મંદિર હવે ત્યાં જ રહેશે.

આ મંદિર તેની ધાર્મિક પાવનતાને કારણે જાણીતું છે અને ભક્તો માને છે કે અહીંની આરાધનાથી તેમને આત્મિક શક્તિ, સુરક્ષા અને જીવન માર્ગદર્શન મળે છે. કેમ્પ વિસ્તારમાં સ્થિત હોવાથી આ મંદિર સૈનિકો અને લશ્કરી કર્મચારીઓ સાથે અત્યંત નજીકનો સંબંધ રહ્યો છે.

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)