
ભદ્ર કિલ્લાનું નામ "ભદ્ર કાળી" દેવીના નામ પરથી પડ્યું છે. ભદ્રકાળી એક શક્તિની દેવી છે જે રક્ષણ અને વિજયનું પ્રતીક છે.

માન્યતા મુજબ, અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહે જ્યારે આ કિલ્લો બનાવ્યો, ત્યારે ભદ્રકાળીની મૂર્તિ કિલ્લાની નજીક સ્થાપિત કરાઈ હતી અને તેના આશીર્વાદથી શહેર અને કિલ્લો સુરક્ષિત રહે તેવી ભાવના રાખવામાં આવી હતી. તેથી આ કિલ્લો “ભદ્ર કિલ્લો” તરીકે ઓળખાયો.

અહેમદશાહના સમયમાં બનાવાયેલા આ કિલ્લામાં 14 મિનારા, 8 સામાન્ય દરવાજા અને 2 વિશિષ્ટ મુખ્ય પ્રવેશદ્વારો હતા, જેને સ્થાપત્યની દૃષ્ટિએ અદભૂત રચના માનવામાં આવે છે. (Credits: - Wikipedia)

તે સમયે શાહી દરબાર અહીં યોજાતો અને કિલ્લાની પૂર્વ બાજુએ આવેલા 'ત્રણ દરવાજા' નામના પ્રવેશદ્વારથી શાહી દરબાર તરફ પ્રવેશ મળતો હતો, જે આજે માણેક ચોકની નજીક આવેલો છે.

ભદ્ર કિલ્લાના અંદરના ભાગમાં રાજવાડી મહેલો અને સુંદર નગીના બાગ સ્થિત છે, જયારે પશ્ચિમ તરફ અહમદશાહની શાહી મસ્જિદ જોવા મળે છે અને પૂર્વ તરફ મૈદાન-શાહ નામથી ઓળખાતો વિશાળ ખુલ્લો મેદાન વિસ્તરાયેલો છે.

મુઘલ શાસન દરમિયાન આ કિલ્લો સંરક્ષણાત્મક અને શાસકીય મહત્વ ધરાવતો હતો. મરાઠાઓના શાસન દરમિયાન અહીંથી શાસન વ્યવહાર થતો. મરાઠા સમયે કિલ્લાની આસપાસ ઘણી સરકારી કચેરીઓ અને ઘોડા-હાથી માટેના સ્થાનો ઊભા કરાયા હતા. (Credits: - Wikipedia)

બ્રિટિશ શાસન દરમિયાન ભદ્ર કિલ્લાનો ઉપયોગ શાસન અને રાજકીય પ્રવૃત્તિઓ માટે થતો હતો. અહીં બ્રિટિશ રેસીડેન્સી અને અન્ય સરકારી કચેરીઓ કાર્યરત હતી.

આજના સમયમાં ભદ્ર કિલ્લો ઐતિહાસિક સ્મારક છે અને શહેરના ઇતિહાસને જીવંત બનાવે છે. કિલ્લાની આજુબાજુ અનેક સરકારી ઇમારતો, લાલ દરવાજા પાસેના બજાર વિસ્તાર અને ભદ્ર પ્લાઝા આવેલા છે, જ્યાં અમદાવાદીઓનો દૈનિક વ્યવહાર રહે છે.

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)