
ગાંધીનગરની ડિઝાઇન એચ.કે. મેવાડાએ કરી હતી. જો આપણે ગાંધીનગર શહેરની સ્થાપત્ય પર નજર કરીએ તો તે એક સુનિયોજિત શહેર તરફ પણ ઇશારો કરે છે.

શહેરને 30 સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે, જે સુવ્યવસ્થિત અને પર્યાવરણમિત્ર છે. શહેરની 50% જમીન હરિયાળી છે, જે Green City તરીકે ઓળખાય છે.

ગાંધીનગર માત્ર એક રાજધાની નહીં, પણ ભવિષ્યનું સ્માર્ટ અને ઈકો-ફ્રેન્ડલી શહેર છે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને GIFT City દ્વારા આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ હબ બની રહ્યું છે.

સફળ શહેરી આયોજન અને હરિયાળાને કારણે, ગાંધીનગર ભારતના શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન પામે છે. આગામી વર્ષોમાં "સ્માર્ટ સિટી પ્રોજેક્ટ" અંતર્ગત વધુ ડેવલપમેન્ટ થવાનું છે.

આ ઐતિહાસિક રીતે સમૃદ્ધ શહેરમાં ઘણા સુંદર પર્યટન સ્થળો છે, જે ફક્ત સ્થાનિક જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓનું પણ ધ્યાન આકર્ષિત કરે છે. અહીંનું મહાત્મા મંદિર મ્યુઝિયમ ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જણાવે છે.

સ્વામી નારાયણ સંપ્રદાયના અક્ષરધામ મંદિરનો ગાંધીનગરના મુખ્ય સ્થળોમાં સમાવેશ થાય છે. મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી, ટોય મ્યુઝિયમ અને તાજેતરમાં 5 સ્ટાર રેલ્વે સ્ટેશન મુખ્ય સીમાચિહ્નો છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીની સાથે ગાંધીનગરમાં IIT અને NIFT ફેશન ડિઝાઇનિંગ જેવી શૈક્ષણિક સંસ્થાઓ પણ છે.
Published On - 8:44 pm, Fri, 14 March 25