
અંબાજી અરવલ્લી પર્વતમાળા પાસે આવેલું છે. આસપાસના રણદિપરા, કુરમ અને ગબ્બર પર્વતને પણ પવિત્ર માનવામાં આવે છે. ગબ્બર પર્વત પર પણ માં અંબાની ઉપસ્થિતિ મનાય છે, જ્યાં ગણવામાં આવે છે કે માતાજી પહેલા ઉપસ્થિત હતા.

અંબાજી મંદિરના આધુનિક સ્વરૂપની સ્થાપના 20મી સદીમાં થઇ હતી, જોકે આ સ્થાન પૌરાણિક કાળથી હાજર છે. મહાભારત અને રામાયણ કાળમાં પણ અંબા દેવીની પૂજા થતી હતી, એવું અનેક ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે.

હિંદુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે ઓળખાતા શ્રીરામ, જયારે પોતાની પત્ની સીતાને શોધવાની યાત્રા પર હતા, ત્યારે અર્બુદ પર્વતમાળાના જંગલોમાં શ્રૃંગી ઋષિ તેમની મુલાકાતે આવ્યા. ઋષિએ શ્રીરામ અને લક્ષ્મણને આરાસુર જઈને દેવી અંબાનું પૂજન કરવા માટે માર્ગદર્શન આપ્યું. અંબાએ પ્રસન્ન થઈને તેમને 'અજય' બાણ આપ્યું હતું.

દર વર્ષ ભાદરવા સુદ અષ્ટમીના દિવસે અંબાજીમાં વિશાળ મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને આવે છે.અંબાજી માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર છે. આ સ્થળ પર ભક્તો મનની શાંતિ, આશા, અને શક્તિ માટે આવે છે. તે મા દુર્ગાના નો રૂપોમાં એક મુખ્ય સ્વરૂપ તરીકે માન્ય છે.

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)
Published On - 6:34 pm, Wed, 21 May 25