Home Remedy : એક રૂપિયાનો પણ ખર્ચ નહીં થાય ! ચહેરાના ડાઘ દૂર કરવા માટે આ 5 દેશી ઉપાય અપનાવો, સ્કિન ચમકવા લાગશે

લોકો ઘણીવાર તેમના ચહેરા પરના ડાઘ-ધબ્બાને લઈને ચિંતિત રહે છે. હવે આ ડાઘ કાં તો કોઈ ઈજા, ખીલ અથવા એલર્જીના પરિણામે જોવા મળે છે.

| Updated on: Nov 18, 2025 | 3:51 PM
1 / 8
લોકો ઘણીવાર તેમના ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર ન થવા અંગે ચિંતા કરે છે. આ ડાઘ કાં તો કોઈ ઈજા, ખીલ અથવા એલર્જીના પરિણામે જોવા મળે છે.

લોકો ઘણીવાર તેમના ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર ન થવા અંગે ચિંતા કરે છે. આ ડાઘ કાં તો કોઈ ઈજા, ખીલ અથવા એલર્જીના પરિણામે જોવા મળે છે.

2 / 8
બજારમાંથી મળી આવતી ઘણી મેડિકલ પ્રોડક્ટ્સ ડાઘ દૂર કરવાનો દાવો કરે છે પરંતુ તે કેમિકલથી ભરેલી હોય છે. જો તમે આ ડાઘ દૂર કરવા માટે નેચરલ અને સસ્તી રીત શોધી રહ્યા છો, તો કેટલાક ઘરેલું ઉપાયો તમારી ત્વચાને ગ્લોઇંગ કરવામાં મદદ કરી શકે છે.

બજારમાંથી મળી આવતી ઘણી મેડિકલ પ્રોડક્ટ્સ ડાઘ દૂર કરવાનો દાવો કરે છે પરંતુ તે કેમિકલથી ભરેલી હોય છે. જો તમે આ ડાઘ દૂર કરવા માટે નેચરલ અને સસ્તી રીત શોધી રહ્યા છો, તો કેટલાક ઘરેલું ઉપાયો તમારી ત્વચાને ગ્લોઇંગ કરવામાં મદદ કરી શકે છે.

3 / 8
મધના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણધર્મો ત્વચાને ચમકાવવામાં મદદ કરે છે. મધને ચહેરા પર રહેલા ડાઘ પર લગાવો. હવે તેને 20-30 મિનિટ સુધી રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. આ ત્વચાની રચના (Texture) માં સુધારો કરે છે અને ધીમે ધીમે ડાઘ ઓછા થઈ જાય છે.

મધના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણધર્મો ત્વચાને ચમકાવવામાં મદદ કરે છે. મધને ચહેરા પર રહેલા ડાઘ પર લગાવો. હવે તેને 20-30 મિનિટ સુધી રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. આ ત્વચાની રચના (Texture) માં સુધારો કરે છે અને ધીમે ધીમે ડાઘ ઓછા થઈ જાય છે.

4 / 8
લીંબુમાં રહેલું વિટામિન C કોલેજનનું પ્રોડક્શન વધારે છે અને કાળા ડાઘ ઘટાડે છે. અડધું લીંબુ નિચોવી, થોડું પાણી ઉમેરો અને તેને કોટન બોલ (Cotton Ball) થી ડાઘ પર લગાવો અને 10 મિનિટ બાદ ધોઈ લો. (નોંધ: સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ અઠવાડિયામાં ફક્ત બે વાર આનો ઉપયોગ કરવો જોઈએ.)

લીંબુમાં રહેલું વિટામિન C કોલેજનનું પ્રોડક્શન વધારે છે અને કાળા ડાઘ ઘટાડે છે. અડધું લીંબુ નિચોવી, થોડું પાણી ઉમેરો અને તેને કોટન બોલ (Cotton Ball) થી ડાઘ પર લગાવો અને 10 મિનિટ બાદ ધોઈ લો. (નોંધ: સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ અઠવાડિયામાં ફક્ત બે વાર આનો ઉપયોગ કરવો જોઈએ.)

5 / 8
હળદરમાં રહેલું કર્ક્યૂમિન ત્વચાના સોજાને ઘટાડે છે અને રંગતને સુધારે છે. એક ચમચી હળદરમાં થોડું મધ અથવા દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દાગ પર લગાવો અને 15–20 મિનિટ પછી ધોઈ નાખો. અઠવાડિયામાં 2–3 વાર ઉપયોગ કરવાથી ત્વચામાં સુધાર જોવા મળે છે.

હળદરમાં રહેલું કર્ક્યૂમિન ત્વચાના સોજાને ઘટાડે છે અને રંગતને સુધારે છે. એક ચમચી હળદરમાં થોડું મધ અથવા દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દાગ પર લગાવો અને 15–20 મિનિટ પછી ધોઈ નાખો. અઠવાડિયામાં 2–3 વાર ઉપયોગ કરવાથી ત્વચામાં સુધાર જોવા મળે છે.

6 / 8
કાચા બટાકામાં વિટામિન સી અને એન્ઝાઇમ હોય છે, જે ત્વચાના કોષો (Skin Cells) ને સુધારે છે તેમજ કાળા ડાઘ દૂર કરે છે. બટાકાને છીણી લો, તેનો રસ કાઢો અને તેને કોટન બોલથી ડાઘ પર લગાવો. આટલું કર્યા બાદ 15 મિનિટ પછી તમારો ચહેરો ધોઈ લો. આ તમારી ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવશે.

કાચા બટાકામાં વિટામિન સી અને એન્ઝાઇમ હોય છે, જે ત્વચાના કોષો (Skin Cells) ને સુધારે છે તેમજ કાળા ડાઘ દૂર કરે છે. બટાકાને છીણી લો, તેનો રસ કાઢો અને તેને કોટન બોલથી ડાઘ પર લગાવો. આટલું કર્યા બાદ 15 મિનિટ પછી તમારો ચહેરો ધોઈ લો. આ તમારી ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવશે.

7 / 8
નાળિયેર તેલમાં રહેલ ફેટી એસિડ અને વિટામિન E ત્વચાને Deep Moisturize બનાવે છે તેમજ ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર થોડું ગરમ ​​નાળિયેર તેલ લગાવો અને હળવા હાથે માલિશ કરો. બસ હવે તમને થોડા દિવસોમાં જ નોંધપાત્ર ફરક જોવા મળશે.

નાળિયેર તેલમાં રહેલ ફેટી એસિડ અને વિટામિન E ત્વચાને Deep Moisturize બનાવે છે તેમજ ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર થોડું ગરમ ​​નાળિયેર તેલ લગાવો અને હળવા હાથે માલિશ કરો. બસ હવે તમને થોડા દિવસોમાં જ નોંધપાત્ર ફરક જોવા મળશે.

8 / 8
આ ઘરગથ્થુ ઉપચારો ફક્ત ડાઘ-ધબ્બા જ ઓછા કરતા નથી પણ તમારી ત્વચાને સ્વસ્થ અને નેચરલ રીતે ચમકદાર બનાવે છે. આ ઉપાયો કામ કરવામાં ધીમા છે પરંતુ તે સુરક્ષિત, સસ્તા અને સાઇડ ઈફેક્ટ વગરના છે.

આ ઘરગથ્થુ ઉપચારો ફક્ત ડાઘ-ધબ્બા જ ઓછા કરતા નથી પણ તમારી ત્વચાને સ્વસ્થ અને નેચરલ રીતે ચમકદાર બનાવે છે. આ ઉપાયો કામ કરવામાં ધીમા છે પરંતુ તે સુરક્ષિત, સસ્તા અને સાઇડ ઈફેક્ટ વગરના છે.

Published On - 3:51 pm, Tue, 18 November 25