
ગ્લિસરીન ફાયદાકારક છે : મોઢાના ચાંદાથી રાહત મેળવવા માટે ગ્લિસરીન લગાવવાથી પણ ફાયદો થાય છે. એક નાની સ્ટિક પર રૂ લગાવો અને ગ્લિસરીનમાં ડૂબાડો અને મોંના ચાંદા પર લગાવો. તેનાથી તમને એક-બે દિવસમાં પણ ઘણી રાહત મળશે.

પીપરમિન્ટ તાત્કાલિક આપે છે રાહત : પેપરમિન્ટ કરિયાણાની દુકાનોમાં સરળતાથી ઉપલબ્ધ છે. તે સુંદર સ્ફટિકો જેવું લાગે છે. મોંના ચાંદા પર પીપરમિન્ટ મુકવાથી તાત્કાલિક રાહત મળે છે. કારણ કે તે એક ઠંડક અસર આપે છે. પિપરમિન્ટથી ચાંદીઓ બે થી ત્રણ દિવસમાં સંપૂર્ણપણે મટી જાય છે.